ETV Bharat / city

જનાક્રોશ: ધ્રોલની વીજકચેરીમાં ખેડૂતો દ્વારા કરાયા ધરણાં, તંત્રએ આપી વીજપ્રશ્ન ઉકેલવાની ખાતરી

જામનગરમાં ધ્રોલ તાલુકાના 15 ગામના ખેડૂતો વર્તમાન સમયમાં વીજ પ્રશ્નોને લઈને પરેશાની વેઠી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જણાઈ રહ્યું છે.

author img

By

Published : Oct 13, 2020, 1:38 PM IST

8 કલાક વીજળી આપવાના સરકારના દાવા પોકળઃ જામનગરના ખેડૂતોનો વિરોધ
8 કલાક વીજળી આપવાના સરકારના દાવા પોકળઃ જામનગરના ખેડૂતોનો વિરોધ

જામનગરઃ ધ્રોલ તાલુકાના આસપાસના 15 જેટલા ગામોમાં દિવસ દરમિયાન 2 કલાક જ વીજળી અપાતા ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. 8 કલાક વીજળી આપવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ધ્રોલ તાલુકાના 15 ગામના 100 જેટલા ખેડૂતો ધ્રોલ વીજકચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નના નિરાકરણની ખાતરી ન મળે ત્યાં સુધી કચેરી ખાતે ધરણાં પર બેસશે. આથી તંત્રના અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. 15 દિવસમાં જ વીજ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ, મોડપર, સુધાધુના, ધરમપુર, લૈયારા, સગાડિયા, ખજૂરડી, જાયવા સહિતના આસપાસના 10થી વધુ ગામમાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે તો સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા સાથે માત્ર 2 કલાક પણ પૂરતો વીજ પુરવઠો મળતી ન હોવાથી ખેડૂતો મગફળી, કપાસ કે બીજા અન્ય પાકોમાં પાણી હોવા છતાં પાકને પાણી આપી નથી શકતા. આથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

8 કલાક વીજળી આપવાના સરકારના દાવા પોકળઃ જામનગરના ખેડૂતોનો વિરોધ
8 કલાક વીજળી આપવાના સરકારના દાવા પોકળઃ જામનગરના ખેડૂતોનો વિરોધ

આથી 100થી વધુ ખેડૂતો સાથે મળી ધ્રોલ ખાતે રૂલર જીઈબીની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં સુધી વીજપ્રશ્ન ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી કચેરીની અંદર જ ધરણા પર બેસી ગયા છે. જોકે તંત્રએ 15 દિવસમાં વીજ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા ખેડૂતો માની ગયા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારે 8 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. ગ્રામ્ય પંથકમાં માંડ 2 કલાક પણ વીજ પુરવઠો મળે છે. અમે છતે પાણીએ પાકને પાણી આપી શકતા નથી, ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડી છે.

જામનગરઃ ધ્રોલ તાલુકાના આસપાસના 15 જેટલા ગામોમાં દિવસ દરમિયાન 2 કલાક જ વીજળી અપાતા ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. 8 કલાક વીજળી આપવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ધ્રોલ તાલુકાના 15 ગામના 100 જેટલા ખેડૂતો ધ્રોલ વીજકચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નના નિરાકરણની ખાતરી ન મળે ત્યાં સુધી કચેરી ખાતે ધરણાં પર બેસશે. આથી તંત્રના અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. 15 દિવસમાં જ વીજ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ, મોડપર, સુધાધુના, ધરમપુર, લૈયારા, સગાડિયા, ખજૂરડી, જાયવા સહિતના આસપાસના 10થી વધુ ગામમાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે તો સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા સાથે માત્ર 2 કલાક પણ પૂરતો વીજ પુરવઠો મળતી ન હોવાથી ખેડૂતો મગફળી, કપાસ કે બીજા અન્ય પાકોમાં પાણી હોવા છતાં પાકને પાણી આપી નથી શકતા. આથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

8 કલાક વીજળી આપવાના સરકારના દાવા પોકળઃ જામનગરના ખેડૂતોનો વિરોધ
8 કલાક વીજળી આપવાના સરકારના દાવા પોકળઃ જામનગરના ખેડૂતોનો વિરોધ

આથી 100થી વધુ ખેડૂતો સાથે મળી ધ્રોલ ખાતે રૂલર જીઈબીની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં સુધી વીજપ્રશ્ન ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી કચેરીની અંદર જ ધરણા પર બેસી ગયા છે. જોકે તંત્રએ 15 દિવસમાં વીજ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા ખેડૂતો માની ગયા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારે 8 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. ગ્રામ્ય પંથકમાં માંડ 2 કલાક પણ વીજ પુરવઠો મળે છે. અમે છતે પાણીએ પાકને પાણી આપી શકતા નથી, ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.