ETV Bharat / city

જામનગર: કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથિક દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું - Free corona virus

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કોરોના વાયરસનો ચેપ ભારતમાં પણ જોવા મળ્યો છે. ત્યારે આ વાયરસજન્ય રોગના સંક્રમણથી બચવા માટે હોમિયોપેથીના શોધક ડો. સેમ્યુઅલ હેનીમાને આશરે 225 વર્ષ પહેલા અક્સીર દવાઓની શોધ કરી હતી. આ દવાઓ વડે કોરોના વાયરસના ચેપ તથા વાયરસજન્ય રોગથી રક્ષણ શક્ય છે. હોમિયોપેથિક દવાઓ આપણી રોગપ્રતિરોધક શક્તિ વધારે છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 15, 2020, 11:41 PM IST

જામનગર: હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઈન્ડિયા (જામનગર યુનિટ) તથા શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સંયુક્ત ઉપક્રમે સામાજિક ફરજરુપે તથા લોકહિતાર્થે 'નિઃશુલ્ક કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણ'નું આયોજન કર્યું હતું. જ્યાં સુધી આ મહામારી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ખીજડા મંદિરમાં ચાલતા રાહત દવાખાનામાં આવેલ હોમિયોપેથી વિભાગમાં દરરોજ સવારે 10 થી 12 અને બપોરે 3 થી 5 દરમિયાન આ કોરોના પ્રતિરોધક હોમિપેથિક દવાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે.

કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણ કરાઈ

આ સેવાકીય મહાયજ્ઞ શ્રી પ નવતનપુરી ધામ, મહારાજશ્રી, પ.પૂ. શ્રી કૃષ્ણમણિ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી થવા જઈ રહ્યો છે. આ સમગ્ર પ્રતિરોધક હોમિયોપેથિક દવાઓ તથા તેમના ડોઝ એ આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રમાણિત તથા માર્ગદર્શિકા અનુસાર છે. આ દવાઓનું વિતરણએ હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઈન્ડિયા (જામનગર યુનિટ)ના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે.

જામનગર: હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઈન્ડિયા (જામનગર યુનિટ) તથા શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સંયુક્ત ઉપક્રમે સામાજિક ફરજરુપે તથા લોકહિતાર્થે 'નિઃશુલ્ક કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણ'નું આયોજન કર્યું હતું. જ્યાં સુધી આ મહામારી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ખીજડા મંદિરમાં ચાલતા રાહત દવાખાનામાં આવેલ હોમિયોપેથી વિભાગમાં દરરોજ સવારે 10 થી 12 અને બપોરે 3 થી 5 દરમિયાન આ કોરોના પ્રતિરોધક હોમિપેથિક દવાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે.

કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણ કરાઈ

આ સેવાકીય મહાયજ્ઞ શ્રી પ નવતનપુરી ધામ, મહારાજશ્રી, પ.પૂ. શ્રી કૃષ્ણમણિ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી થવા જઈ રહ્યો છે. આ સમગ્ર પ્રતિરોધક હોમિયોપેથિક દવાઓ તથા તેમના ડોઝ એ આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રમાણિત તથા માર્ગદર્શિકા અનુસાર છે. આ દવાઓનું વિતરણએ હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઈન્ડિયા (જામનગર યુનિટ)ના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.