જામનગરઃ શહેરમાં રવિવાર મોડી રાત્રે પંચવટી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી કાર ડિવાઇડર સાથે અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પણ ડિવાઈડર સાથે કાર અથડાતા તેનું કચ્ચરઘાણ નીકળી ગયુ હતુ.
જામનગરમાં છેલ્લાં ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. ખાસ કરીને બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ કરવાના કારણે અકસ્માત થતા હોવાનું બહાર આવ્યું હતું. કાર એટલી ઝડપથી ડિવાઈડર સાથે અથડાઈ હતી કે, ડિવાઈડર પણ તૂટી ગયું હતું. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.