જામનગર: શહેરના 88 વર્ષીય વૃધ્ધ વેપારી વનરાવનભાઇ દત્તાણી કે, જેઓ હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે તેમણે કોરોના સામેની લડાઈમાં સહભાગી બનવા રૂપિયા 1 લાખ 1 હજારનું દાન PM રાહત ફંડમાં કલેકટર રવિશંકરને અર્પણ કર્યું હતું.
![88 વર્ષીય વૃધ્ધ વેપારી વનરાવનભાઇ દત્તાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-corona-fund-7202728-mansukh_26042020105929_2604f_1587878969_308.jpg)
વનરાવનભાઇ દતાણીએ કહ્યુ હતું કે, કોરોનાની મહામારી ગંભીર કટોકટી છે, મને ઘણા સમયથી સરકારને મારાથી બને એટલી મદદ કરવાની ઇચ્છા હતી, આ સમયમાં દરેક વ્યક્તિએ સરકારને મદદ કરવી જોઇએ એ વિચાર સાથે જ મે મારી બચત પૂંજીમાંથી 1,01000 રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં અર્પણ કર્યા છે, સાથે જ અન્ય લોકો પણ સરકારને મદદ કરવા આગળ આવે એ માટે જામનગરવાસીઓને અપીલ કરી છે.
![કલેકટર રવિશંકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-corona-fund-7202728-mansukh_26042020105929_2604f_1587878969_49.jpg)