ETV Bharat / city

અમેરિકાની વિઝા રદ નીતિ પર કેન્દ્ર સરકાર કંઈક રસ્તો કાઢશે: નીતિન પટેલ - US visa policy

અમેરિકાની સરકારે વિઝા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ સંકટને ધ્યાનમાં લઈને અનેક ગુજરાતીઓને અને ભારતીયોને ભારત પાછા આવવું પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, નિર્ણય અમેરિકન સરકારનો છે, પરંતુ આ બાબતે ભારત સરકાર પણ ચર્ચા કરશે.

Nitin Patel
Nitin Patel
author img

By

Published : Jul 8, 2020, 12:25 PM IST

ગાંધીનગર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા ઉપર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે આ પ્રતિબંધના કારણે કેટલાક વિદ્યાર્થીઓને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિઝા પરના પ્રતિબંધના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ભારત પાછું ફરવું પડે તેવી પરિસ્થિતિ અને સંજોગો ઊભા થયા છે.

આ બાબતે ભારત સરકાર પણ વિચારણા કરશે અને અમેરિકન સરકાર સાથે મંત્રણા કરીને કોઈને કોઈ રસ્તો નીકળશે તેવો વિશ્વાસ પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વ્યક્ત કર્યો હતો.

અમેરિકાની વિઝા રદ નીતિ : કેન્દ્ર સરકાર કઈક રસ્તો કરશે : નીતિન પટેલ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સ્થગિત કરવાની કરી જાહેરાત
  • ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો
  • સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે

ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી લાખો જેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ અર્થે જાય છે, ત્યારે જો આ નિયમ લાગુ કરી દેવામાં આવશે, તો લાખો વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું પડશે. જેથી તેમને આર્થિક રીતે પણ નુકસાન જશે. હવે ભાજપ સરકાર કઈ રીતના પગલા ભરશે તે જોવું રહ્યું.

ગાંધીનગર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા ઉપર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે આ પ્રતિબંધના કારણે કેટલાક વિદ્યાર્થીઓને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિઝા પરના પ્રતિબંધના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ભારત પાછું ફરવું પડે તેવી પરિસ્થિતિ અને સંજોગો ઊભા થયા છે.

આ બાબતે ભારત સરકાર પણ વિચારણા કરશે અને અમેરિકન સરકાર સાથે મંત્રણા કરીને કોઈને કોઈ રસ્તો નીકળશે તેવો વિશ્વાસ પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વ્યક્ત કર્યો હતો.

અમેરિકાની વિઝા રદ નીતિ : કેન્દ્ર સરકાર કઈક રસ્તો કરશે : નીતિન પટેલ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સ્થગિત કરવાની કરી જાહેરાત
  • ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો
  • સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે

ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી લાખો જેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ અર્થે જાય છે, ત્યારે જો આ નિયમ લાગુ કરી દેવામાં આવશે, તો લાખો વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું પડશે. જેથી તેમને આર્થિક રીતે પણ નુકસાન જશે. હવે ભાજપ સરકાર કઈ રીતના પગલા ભરશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.