ETV Bharat / city

કોંગ્રેસના વધુ 2 ધારાસભ્યોના રાજીનામા, વિધાનસભા અધ્યક્ષે કર્યો સ્વીકાર

author img

By

Published : Jun 4, 2020, 2:28 PM IST

Updated : Jun 4, 2020, 5:11 PM IST

રાજ્યસભાની ચૂંટણીને લઈ ફરી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ છે. એવામાં આજે કોંગ્રેસના બે ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામાંનો સ્વીકાર કર્યો છે.

Rajendra trivedi
Rajendra trivedi

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના મહામારી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હતા. ત્યારે આજે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જ્યારે હજુ 5 ધારાસભ્યો રજીનામાં આપે તેવી પણ શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો બાબતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'ગઈકાલે સાંજે કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ધારાસભ્યપદથી રાજીનામા આપ્યા છે. ધારાસભ્યએ નિવાસસ્થાન ખાતે આવીને રાજીનામા આપ્યાં હતા. આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યોના ચહેરા જોઈ તથા સહીનો નમૂનો લઈને ધારાસભ્યના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના પાંચ સભ્યોએ રાજીનામા આપ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી રદ થઈ હતી. હવે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે વધુ 2 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આમ, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યોએ રાજીનામા વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યા છે.

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના મહામારી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હતા. ત્યારે આજે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જ્યારે હજુ 5 ધારાસભ્યો રજીનામાં આપે તેવી પણ શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો બાબતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'ગઈકાલે સાંજે કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ધારાસભ્યપદથી રાજીનામા આપ્યા છે. ધારાસભ્યએ નિવાસસ્થાન ખાતે આવીને રાજીનામા આપ્યાં હતા. આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યોના ચહેરા જોઈ તથા સહીનો નમૂનો લઈને ધારાસભ્યના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના પાંચ સભ્યોએ રાજીનામા આપ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી રદ થઈ હતી. હવે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે વધુ 2 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આમ, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યોએ રાજીનામા વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યા છે.
Last Updated : Jun 4, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.