ગાંધીનગરઃ યુવા શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા 31 ઓગસ્ટ સુધી રાજ્યના ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓને પરીક્ષાઓ પાસ કરી છે. પરંતુ કોલ લેટર આપવામાં આવતા નથી. તેવા ઉમેદવારોને લઈને આંદોલન ચલાવી રહી છે. અત્યાર સુધી અનેક લોકોને આવેદન આપી ચૂકી છે. ત્યારે આજે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને એમ.એલ.એ ક્વોટર્સમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યને ઉમેદવારો નોકરીથી વંચિત ન રહી જાય તે માટે સરકારમાં રજૂઆત કરવા માટે પણ જણાવાયું હતું.
સરકાર યુવાનોની સમસ્યાઓનું સમાધાન નહીં લાવે તો સુપર સીએમના કાર્યક્રમને પણ રોકીશું :બેરોજગાર સમિતિ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તેમની આ રજૂઆતને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બેરોજગાર યુવાનો તેમના એમ.એલ.એ ક્વોટર્સનો પણ ઉપયોગ કરી શકે છે. રાજ્યની ભાજપ સરકાર યુવાનોને વંચિત રાખી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અને ગુલાબસિંહ રાજપૂત તેમની સાથે છે.સરકાર યુવાનોની સમસ્યાઓનું સમાધાન નહીં લાવે તો સુપર સીએમના કાર્યક્રમને પણ રોકીશું બેરોજગાર સમિતિ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાએ કહ્યું કે, અમારો કાર્યક્રમ 31 ઓગસ્ટના રોજ પૂરો થઈ રહ્યો છે. જો યુવાનોની સમસ્યા ઉપર સમાધાન લેવામાં નહીં આવે તો 3 તારીખથી શરૂ થતી ભાજપના સુપર સીએમ સી આર પાટીલની રેલીમાં પણ અડચણ ઉભી કરીશું.