ETV Bharat / city

સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું - એવી છબી ન બનાવો કે તમે હોસ્પિટલોને બચાવી રહ્યા છો

author img

By

Published : Jul 19, 2021, 5:36 PM IST

સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી એક સુઓમોટો અરજીની સુનવણી દરમિયાન કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર એવી છબી ઉભી ન કરે કે તેઓ હોસ્પિટલોને બચાવી રહ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને તમામ હોસ્પિટલોના ફાયર ઓડિટનો રિપોર્ટ 2 સપ્તાહમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી
સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી
  • સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી
  • હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને ફટકાર
  • 2 સપ્તાહમાં ફાયર ઓડિટનો રિપોર્ટ જમા કરાવવાનો આદેશ

ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહમાં તમામ હોસ્પિટલોનો ફાયર ઓડિટ રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સુપ્રિમ કોર્ટના આદેશોની અવમાનના કરીને કામગીરી કરી હોવાનું પણ કહ્યું છે.

ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને છૂટછાટ આપવાના મુદ્દે પણ લીધા આડેહાથ

ગુજરાતમાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હાલ આ હોસ્પિટલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. આ મુદ્દાને લઈને જસ્ટિસ શાહે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, જ્યારે સુપ્રિમ કોર્ટ આ અંગે કાર્યવાહી કરવાનું કહેતી હોય તો ગુજરાત સરકાર કઈ રીતે કોર્ટની અવમાનના કરીને આ પ્રકારની છૂટછાટ આપી શકે ?

  • સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી
  • હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને ફટકાર
  • 2 સપ્તાહમાં ફાયર ઓડિટનો રિપોર્ટ જમા કરાવવાનો આદેશ

ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહમાં તમામ હોસ્પિટલોનો ફાયર ઓડિટ રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સુપ્રિમ કોર્ટના આદેશોની અવમાનના કરીને કામગીરી કરી હોવાનું પણ કહ્યું છે.

ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને છૂટછાટ આપવાના મુદ્દે પણ લીધા આડેહાથ

ગુજરાતમાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હાલ આ હોસ્પિટલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. આ મુદ્દાને લઈને જસ્ટિસ શાહે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, જ્યારે સુપ્રિમ કોર્ટ આ અંગે કાર્યવાહી કરવાનું કહેતી હોય તો ગુજરાત સરકાર કઈ રીતે કોર્ટની અવમાનના કરીને આ પ્રકારની છૂટછાટ આપી શકે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.