ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 514 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે જાહેર કરાયેલા આંકડામાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 28 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 24104 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 339 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 71 દર્દી વેન્ટિલેટર પર, કોરોનાના 514 કેસ, 28 દર્દીના મોત ગુજરાત કોરોના વાઈરસના કેસમાં મહારાષ્ટ્રથી બીજા નંબરે છે. જ્યારે રાજ્ય 25000 તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 327, સુરત 64, વડોદરામાં 44, ગાંધીનગર 15, જામનગર, ભરૂચ 9-9, રાજકોટ 8, પંચમહાલ 7, સાબરકાંઠા, જૂનાગઢ 4-4, પાટણ, સુરેન્દ્રનગર 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડ 2-2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલી 1-1 અને અન્ય 3 કેસ સામે આવ્યાં છે. જ્યારે 71 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1506 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 16967 કેસ નોંધાયા છે.