ETV Bharat / city

ભાજપ હીરા સોલંકીને પ્રમુખ નહીં બનાવે તો કોળી સમાજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની ટર્મ પૂરી થઇ ગઇ છે. ત્યારે આગામી સમયમાં આ પદ કોળી સમાજને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરના સેક્ટર-4માં આવેલા કોળી સમાજ ભવન ખાતે આજે બપોરના સમયે એક બેઠક મળી હતી. જેમાં કોળી સમાજના આગેવાન હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે અવાજ ઉઠ્યો હતો. ભાજપ હીરા સોલંકી પ્રમુખ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનીક સ્વરાજ્યમાં ચૂંટાયેલા તમામ કોળી સમાજના આગેવાનો રાજીનામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

author img

By

Published : Jul 1, 2020, 7:10 PM IST

ભાજપ હીરા સોલંકીને પ્રમુખ નહીં બનાવે તો કોળી સમાજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે
ભાજપ હીરા સોલંકીને પ્રમુખ નહીં બનાવે તો કોળી સમાજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં કોળી સમાજના આગેવાન પુરુષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયાં છે. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ શપથ ગ્રહણ બાદ તેમની ચેમ્બરમાં જોવા મળ્યાં નથી. તેવા સમયે હવે ભાજપમાં હીરા સોલંકીને આગળ કરવા માટે સમાજ મેદાને આવ્યો છે. થોડા સમય પહેલા હીરા સોલંકીને પ્રમુખ બનાવવા માટે કોળી સમાજના આગેવાનો કમલમ પહોંચી ગયાં હતાં. ત્યારબાદ આજે આ મુદ્દાને લઈને શહેરમાં આવેલા કોળી ભવન ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યભરમાંથી કોળી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં.

ભાજપ હીરા સોલંકીને પ્રમુખ નહીં બનાવે તો કોળી સમાજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે
કોળી સમાજના આગેવાન હીરા સોલંકી કહ્યું હતું કે, સમાજના યુવાનો દ્વારા આજે આ સંમેલનનું આયોજન કરાયું છે. તેમની માગ છે કે, મને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે પરંતુ આ સમગ્ર બાબતની પ્રક્રિયા દિલ્હીથી થાય છે. યુવાનો કયા મુદ્દાને લઈને બેઠક બોલાવી રહ્યાં છે તે ચર્ચા કર્યા બાદ માલૂમ પડશે. હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો જવાબદારી સ્વીકારે છે કે નહીં તે બાબતે તેમણે કહ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા દિલ્હીથી થાય છે. ત્યારે તેમના મોઢામાંથી ના આવી ન હતી. ભાજપ ઉપર કોળી સમાજ દ્વારા આવી અનેક રીતે અગાઉ દબાણો ઉભા કરવામાં પણ આવ્યાં છે.સરકારની ગાઇડ લાઇનનું ઉલ્લંઘનસામાન્ય લોકો સામાજિક પ્રસંગ યોજતાં હોય તોપણ તેને વધુમાં વધુ 50 લોકોની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કોળી સમાજના આગેવાનો દ્વારા કોઈ જ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી છતાં મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના વાયરસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર મેળાવડા યોજવાનીના પાડવામાં આવી છે, તેમ છતાં પોલીસની હાજરીમાં જ તેનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. એક સો કરતાં વધુ કોળી સમાજના આગેવાનો સેક્ટર-4 કોળી ભવનમાં એકઠા થયાં હતાં, તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં કોળી સમાજના આગેવાન પુરુષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયાં છે. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ શપથ ગ્રહણ બાદ તેમની ચેમ્બરમાં જોવા મળ્યાં નથી. તેવા સમયે હવે ભાજપમાં હીરા સોલંકીને આગળ કરવા માટે સમાજ મેદાને આવ્યો છે. થોડા સમય પહેલા હીરા સોલંકીને પ્રમુખ બનાવવા માટે કોળી સમાજના આગેવાનો કમલમ પહોંચી ગયાં હતાં. ત્યારબાદ આજે આ મુદ્દાને લઈને શહેરમાં આવેલા કોળી ભવન ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યભરમાંથી કોળી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં.

ભાજપ હીરા સોલંકીને પ્રમુખ નહીં બનાવે તો કોળી સમાજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે
કોળી સમાજના આગેવાન હીરા સોલંકી કહ્યું હતું કે, સમાજના યુવાનો દ્વારા આજે આ સંમેલનનું આયોજન કરાયું છે. તેમની માગ છે કે, મને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે પરંતુ આ સમગ્ર બાબતની પ્રક્રિયા દિલ્હીથી થાય છે. યુવાનો કયા મુદ્દાને લઈને બેઠક બોલાવી રહ્યાં છે તે ચર્ચા કર્યા બાદ માલૂમ પડશે. હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો જવાબદારી સ્વીકારે છે કે નહીં તે બાબતે તેમણે કહ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા દિલ્હીથી થાય છે. ત્યારે તેમના મોઢામાંથી ના આવી ન હતી. ભાજપ ઉપર કોળી સમાજ દ્વારા આવી અનેક રીતે અગાઉ દબાણો ઉભા કરવામાં પણ આવ્યાં છે.સરકારની ગાઇડ લાઇનનું ઉલ્લંઘનસામાન્ય લોકો સામાજિક પ્રસંગ યોજતાં હોય તોપણ તેને વધુમાં વધુ 50 લોકોની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કોળી સમાજના આગેવાનો દ્વારા કોઈ જ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી છતાં મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના વાયરસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર મેળાવડા યોજવાનીના પાડવામાં આવી છે, તેમ છતાં પોલીસની હાજરીમાં જ તેનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. એક સો કરતાં વધુ કોળી સમાજના આગેવાનો સેક્ટર-4 કોળી ભવનમાં એકઠા થયાં હતાં, તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.