ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 405 પોઝિટિવ કેસ, 06 દર્દીના થયા મૃત્યુ

author img

By

Published : Jun 14, 2021, 9:11 PM IST

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 405 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ 1,106 દર્દીઓએ કોરોનાને મોત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 06 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
  • 1,106 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 06 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 47, બરોડા 37, સુરત 54 અને રાજકોટમાં 19 કેસ

ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000 થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 174 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના ને માત આપી છે. જ્યારે બરોડા 37 સુરત 54 અને રાજકોટમાં 19 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 455 કોરોનાના કેસો નોંધાયા જ્યારે 1,063 દર્દીઓએ કોરોનાને માત આપી

ફક્ત 5 જિલ્લામાં કોરોનાથી મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુ 10,003

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના અપડેટમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 5 જ જિલ્લામાં તેનાથી દર્દીના મૃત્યુ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, ભરૂચ, અમદાવાદ ગ્રામ્ય, અને સુરત ગ્રામ્યમાં મૃત્યુ નોંધાયા છે. જ્યારે અન્ય એક પણ જિલ્લામાં મૃત્યુ નોંધાયા નથી. જે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 10,000ની પાસે પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 10,003 મૃત્યુ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

આજે 2,93,131 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેકસીનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, જેમાં આજે 2,93,131 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,05,58,024 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,99,812 વ્યક્તિને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 5,318 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: કાબુમાં Corona, રાજ્યના 8 માંથી 6 મહાનગરોમાં Covid Deaths Zero

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 9,542 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 223 વેન્ટિલેટર પર અને 10,519 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,003 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 97.62 ટકા સુધી પહોંચ્યો છે.

  • 1,106 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 06 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 47, બરોડા 37, સુરત 54 અને રાજકોટમાં 19 કેસ

ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000 થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 174 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના ને માત આપી છે. જ્યારે બરોડા 37 સુરત 54 અને રાજકોટમાં 19 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 455 કોરોનાના કેસો નોંધાયા જ્યારે 1,063 દર્દીઓએ કોરોનાને માત આપી

ફક્ત 5 જિલ્લામાં કોરોનાથી મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુ 10,003

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના અપડેટમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 5 જ જિલ્લામાં તેનાથી દર્દીના મૃત્યુ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, ભરૂચ, અમદાવાદ ગ્રામ્ય, અને સુરત ગ્રામ્યમાં મૃત્યુ નોંધાયા છે. જ્યારે અન્ય એક પણ જિલ્લામાં મૃત્યુ નોંધાયા નથી. જે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 10,000ની પાસે પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 10,003 મૃત્યુ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

આજે 2,93,131 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેકસીનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, જેમાં આજે 2,93,131 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,05,58,024 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,99,812 વ્યક્તિને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 5,318 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: કાબુમાં Corona, રાજ્યના 8 માંથી 6 મહાનગરોમાં Covid Deaths Zero

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 9,542 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 223 વેન્ટિલેટર પર અને 10,519 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,003 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 97.62 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.