ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજારને પાર થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 2624 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 112 થઇ છે. આ ઉપરાંત કુલ 258 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 113, સુરતમાં 13, રાજકોટ 12, વડોદરામાં 53, ગાંધીનગર 11, ભાવનગરમાં 18, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 3, આણંદમાં 9, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 3, કચ્છમાં 1, મહેસાણા 2, ખેડામાં 1 સામેલ છે.
![COVID-19: રાજ્યમાં કોરોનાના કુલ 2624 પોઝિટિવ કેસ, 112ના કુલ મોત, 24 કલાકમાં 217 નવા કેસ, 9ના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6913635_coronaaaa.jpg)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કેસ આવ્યાં છે. તેમજ 9 લોકોના મોત થયા છે. આજે આવેલા નવા કેસોમાથી અમદાવાદમાથી 151 નવા કેસો આવ્યાં છે.
રાજ્યમાં 22 એપ્રિલને સાંજના 5 વાગ્યાથી 23 એપ્રિલને સાંજના 6 વાગ્યા સુધી કુલ 217 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 151 કેસ, ત્યારબાદ સુરત 41, વડોદરામાં 7, , આણંદમાં 3,અરવલ્લીમાં 1, ભરૂચમાં 5, ભાવનગરમાં 1, બોટાદમાં 2, ગાંધીનગરમાં 1, ખેડામાં 2, પંચમહાલમાં 1, વલસાડમાં 1, ડાંગમાં 1, કેસ નોધાંતા રાજ્યના 13 જિલ્લામાથી 217 કેસ નવા આવ્યા છે. તેમજ 09 લોકોના મોત થયા છે. કુલ 112 લોકોના મુત્યુ થયા છે.
ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 2624 કેસ નોંધાયા છે. જેમાંથી 112 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 1652 કેસ અને 69 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 456 કેસ અને 13 મૃત્યુ, વડોદરામાં 218 કેસ અને 11 મૃત્યુ, ભાવનગરમાં 33 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 18 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 41 કેસ, ભરૂચમાં 29 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 33 અને 2 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 11 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 16 કેસ, પંચમહાલમાં 12 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 11 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 5 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 18 કેસ અને 1 મોત, મહીસાગરમાં 9 કેસ છે. તેમજ વલસાડમાં 4 કેસ અને 1 મૃત્યુ, તાપીમાં 1, અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે.