- રાજ્યમાં કોરોના કેસ કાબૂમાં, છેલ્લા 24 કલાકમાં 22 કેસ નોંધાયા
- 23 દર્દીઓ કોરોનાને માત આપી, કોઇનું મોત નહીં
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન અને 8 જિલ્લામાં કેસ
- અમદાવાદમાં 05 બરોડા 03 સુરતમાં 04 અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ કેસ નહીં
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતાં ત્યાર બાદ હવે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યાં હતાં અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી છે. આજે સપ્ટેમ્બર માસની 16 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ સુરત અને વડોદરામાં જ સિંગલ ડિજિટ માં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 8 જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે..
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત બરોડા અને અમદાવાદમાં કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 09 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
![અમદાવાદ સુરત, અને વડોદરામાં સિંગલ ડિજિટમાં કેસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13085378_corona1.jpg)
રાજ્યમાં એક્ટિવ કેસ 160 નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 149 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 143 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,446 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Corona Vaccination પછી પણ 23,239 મુંબઈવાસીઓ થયા કોરોના સંક્રમિત
આ પણ વાંચોઃ 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 115 પોઝિટિવ કેસ, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહી