ETV Bharat / city

Chatral protest : હિન્દુ વિસ્તારમાં આવેલા પ્લોટને મુસ્લિમ સમુદાયને ફાળવવામાં આવતા વિરોધ

author img

By

Published : Jun 22, 2021, 2:31 PM IST

ગાંધીનગરના છત્રાલમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય (Muslim community)ને પ્લોટ ફાળવણીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેથી હિન્દુ સંગઠન દ્વારા કલેકટર કચેરી બહાર જયશ્રી રામના નારા લગાવી વિરોધ પ્રદર્શન (Chatral protests) કરાયું હતું. આ પ્લોટ બાબા સાહેબ આંબેડકર(Baba saheb ambedkar) હોલ માટે ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કલેકટર કચેરીની ઓફિસમાં પ્રવેશતા પહેલા કલેકટર કચેરી બહાર જ તમામ વિરોધીઓની પોલીસે અટકાયત કરી હતી.

હિન્દુ વિસ્તારમાં આવેલા પ્લોટને મુસ્લિમ સમુદાયને ફાળવવામાં આવતા વિરોધ
હિન્દુ વિસ્તારમાં આવેલા પ્લોટને મુસ્લિમ સમુદાયને ફાળવવામાં આવતા વિરોધ
  • છત્રાલમાં હિન્દુ સંગઠન દ્વારા કલેકટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન
  • પોલીસે કલેકટર કચેરી બહાર તમામની કરી અટકાયત
  • બાબાસાહેબ આંબેડકર હોલ બનાવવા માંગણી કરી હતી

ગાંધીનગર:ગાંધીનગર કલેકટર (Gandhinagar collector) કચેરી બહાર હિન્દુ સંગઠન (Hindu Organigation) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે, છત્રાલમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય(Muslim community)ને પ્લોટ ફાળવવામાંં આવ્યો છે. આ બાબતે આ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર તેમને આ પહેલા આંબેડકર હોલ બનાવવા માંગણી કરી હતી. જેથી ત્યાં આંબેડકર હોલ અને આ બાબતે તેમને જયશ્રી રામના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હિન્દુ વિસ્તારમાં આવેલા પ્લોટને મુસ્લિમ સમુદાયને ફાળવવામાં આવતા વિરોધ

ફાળવેલા પ્લોટ રદ્દ કરવામાં નહીં આવે તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી

કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા કલોલના બજરંગદળ (Bajrang Dal) સંયોજક જતીન નાડીયાએ કહ્યું કે, કલેકટરને વારંવાર આ પ્લોટ આંબેડકર હોલ બનાવવા માટે માંગણી કરી હતી. પરંતુ તેમને લઘુમતીનેે આપવામાં આવ્યો હતો. પહેલા આ પ્લોટ માટે અમે માંગણી કરી હતી. આ પ્લોટ વિધર્મીને આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો છતાં આ પ્લોટ અમે કરેલી માંગણી આધારિત ફાળવવામાં આવ્યો નથી. જે પ્લોટ લઘુમતીને ફાળવવામાં આવ્યો છે તે રદ કરવામાં નહીં આવે તો અમે સ્થળ પર જઈને ઉગ્ર આંદોલન કરીશું.

આ પણ વાંચોઃ વડોદરાના પાદરામાં હિન્દુ યુવતીને ફસાવનારા વિધર્મી યુવકને ઝડપી પાડવા હિન્દુ સંગઠને રેલી યોજી

છત્રાલમાં 2 વર્ષ પહેલાં જ કોમી ઝગડાઓ બન્યા હતા ઉગ્ર

છત્રાલ ગામમાં હિન્દુ વિસ્તારમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર હોલ બનાવાની માંગણી કરેલી જગ્યા ઉપર ઉગ્ર વિરોધ છતાં મુસ્લિમ સમુદાય(Muslim community)ને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તેવું છત્રાલથી વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા લોકોએ જણાવ્યું હતું. જો કે છત્રાલ ગામમાં 2 વર્ષ પહેલાં કોમી ઝગડાએ મોટું સ્વરૂપ લીધું હતું. કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા આવેલા લોકોનું કહેવું હતું કે, હિન્દુ વિસ્તારમાં વિધર્મીને પ્લોટ ફાળવણીનો ઓર્ડર રદ કરવામાં આવે અને ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર હોલ માટે ફાળવણી કરવામાં આવે.

  • છત્રાલમાં હિન્દુ સંગઠન દ્વારા કલેકટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન
  • પોલીસે કલેકટર કચેરી બહાર તમામની કરી અટકાયત
  • બાબાસાહેબ આંબેડકર હોલ બનાવવા માંગણી કરી હતી

ગાંધીનગર:ગાંધીનગર કલેકટર (Gandhinagar collector) કચેરી બહાર હિન્દુ સંગઠન (Hindu Organigation) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે, છત્રાલમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય(Muslim community)ને પ્લોટ ફાળવવામાંં આવ્યો છે. આ બાબતે આ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર તેમને આ પહેલા આંબેડકર હોલ બનાવવા માંગણી કરી હતી. જેથી ત્યાં આંબેડકર હોલ અને આ બાબતે તેમને જયશ્રી રામના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હિન્દુ વિસ્તારમાં આવેલા પ્લોટને મુસ્લિમ સમુદાયને ફાળવવામાં આવતા વિરોધ

ફાળવેલા પ્લોટ રદ્દ કરવામાં નહીં આવે તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી

કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા કલોલના બજરંગદળ (Bajrang Dal) સંયોજક જતીન નાડીયાએ કહ્યું કે, કલેકટરને વારંવાર આ પ્લોટ આંબેડકર હોલ બનાવવા માટે માંગણી કરી હતી. પરંતુ તેમને લઘુમતીનેે આપવામાં આવ્યો હતો. પહેલા આ પ્લોટ માટે અમે માંગણી કરી હતી. આ પ્લોટ વિધર્મીને આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો છતાં આ પ્લોટ અમે કરેલી માંગણી આધારિત ફાળવવામાં આવ્યો નથી. જે પ્લોટ લઘુમતીને ફાળવવામાં આવ્યો છે તે રદ કરવામાં નહીં આવે તો અમે સ્થળ પર જઈને ઉગ્ર આંદોલન કરીશું.

આ પણ વાંચોઃ વડોદરાના પાદરામાં હિન્દુ યુવતીને ફસાવનારા વિધર્મી યુવકને ઝડપી પાડવા હિન્દુ સંગઠને રેલી યોજી

છત્રાલમાં 2 વર્ષ પહેલાં જ કોમી ઝગડાઓ બન્યા હતા ઉગ્ર

છત્રાલ ગામમાં હિન્દુ વિસ્તારમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર હોલ બનાવાની માંગણી કરેલી જગ્યા ઉપર ઉગ્ર વિરોધ છતાં મુસ્લિમ સમુદાય(Muslim community)ને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તેવું છત્રાલથી વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા લોકોએ જણાવ્યું હતું. જો કે છત્રાલ ગામમાં 2 વર્ષ પહેલાં કોમી ઝગડાએ મોટું સ્વરૂપ લીધું હતું. કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા આવેલા લોકોનું કહેવું હતું કે, હિન્દુ વિસ્તારમાં વિધર્મીને પ્લોટ ફાળવણીનો ઓર્ડર રદ કરવામાં આવે અને ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર હોલ માટે ફાળવણી કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.