ETV Bharat / city

Allegation against former CM : રુપાણીએ જમીનની શરતો ફેરવી ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો હોવાનો રાઠવાનો આક્ષેપ

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. રુપાણીએ 500 કરોડ રુપિયાનું કૌભાંડ (Allegation against former CM) કર્યું હોવાનો આક્ષેપ રાઠવાએ કર્યો છે.

author img

By

Published : Feb 22, 2022, 5:14 PM IST

Allegation against former CM : રુપાણીએ જમીનની શરતો ફેરવી ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો હોવાનો રાઠવાનો આક્ષેપ
Allegation against former CM : રુપાણીએ જમીનની શરતો ફેરવી ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો હોવાનો રાઠવાનો આક્ષેપ

ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામા આપ્યા બાદ સતત વિજય રૂપાણીના નામના કૌભાંડો અને આક્ષેપો સામે આવી રહ્યા છે. રાજકોટના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા આક્ષેપો મુજબ 75 લાખ રૂપિયાની કટકી રાજકોટ પોલીસ કમિશનરે કરી હતી અને તેમાં પણ તથા અન્ય ફરિયાદોના આધારે બીજી પણ વિજય રૂપાણીના નામે કૌભાંડ થયેલા હોવાની ફરિયાદ અને આક્ષેપો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ આક્ષેપ કર્યો હતો કે રૂપિયા 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી જમીનના ઝોન ફેરફારની મંજૂરી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન (Allegation against former CM) વિજય રૂપાણીએ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા બિલ્ડરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપના આગેવાનોની CBI તપાસની (Congress Demand CBI Investigation) માગ કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડાએ (Congress Allegation against Vijay Rupani ) પણ કરી હતી.

પંચમહાલ, રાજકોટ, સુરત સહિત ઘણી જગ્યાએ આવા કૌભાંડ થયા હોવાના આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યા

સીએમ રૂપાણીએ સહી કરીને શરતો ફેરફાર કરી

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પારદર્શક વહીવટની વાતો ચાલે છે કે જ્યારે મુખ્યપ્રધાનના અધિકારીઓની જ પોલંપોલ કરાવી છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશન થકી જે માહિતી મળી છે તે મુજબ રાજકોટમાં જુદા જુદા 20 સર્વે પર 111 એકર જમીનની શરત બદલવામાં આવી છે. જેના તાર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Allegation against former CM) સુધી જોડાયા છે. જ્યારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સહી (Rupani had benefited a private company ) કરીને ઝોન ફેરફાર કર્યો છે. ત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે આ મામલે પગલાં ભરવા જોઇએ. આ ઉપરાંત કોંગ્રેસ એવી પણ માગણી કરે છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા છે. આ ઉપરાંત પંચમહાલ, રાજકોટ, સુરત સહિત ઘણી જગ્યાએ આવા કૌભાંડ થયા હોવાના આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યા છે.

સરકારે ખાનગી કંપનીને ઓર્ડર આપ્યો : શૈલેષ પરમાર

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય રૂપાણીના કૌભાંડ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જે તે સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન શહેરી વિકાસ ખાતું સંભાળતા હતાં ત્યારે મુખ્યપ્રધાન (Allegation against former CM) દ્વારા પરિપત્ર બહાર પાડી બે મહિનાના સમયમાં સરકારે એ કંપનીને ઓર્ડર આપી દીધા હતાં. જ્યારે સહારા ઇન્ડિયા (Sahara India ) દ્વારા અરજી કરી તેના સિવાય અન્ય કંપનીઓએ પણ રાજકોટમાં અરજી કરી હતી. પણ માત્ર સહારાને જ મંજૂરી આપવામાં આવી છે. આમ સરકારમાંથી પ્રેશર કરી શહેરી વિકાસ વિભાગે સહારા જેવી રોડ કંપનીને મંજૂરી આપી હોવાનું નિવેદન શૈલેષ પરમારે કર્યું હતું.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે તપાસ કમિટી ટિમના રાજકોટમાં ધામા

500 કરોડનો ભ્રષ્ટાચાર : સી.જે. ચાવડા

કોંગ્રેસના દંડક સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે (Allegation against former CM) 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. બે વર્ષમાં જમીન પર ઇન્ડસ્ટ્રીઝ માટે કામગીરી કરવી જોઈએ પણ એવું કંઈ પણ પ્રકારનું થયું નથી. પાંચ લાખ ચોરસ વાર જમીન સરકારી જમીન વેચી અબજો રૂપિયા લઇને અધિકારીઓ સુધી પહોંચાડીને આ કૌભાંડ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. આવા અનેક કૌભાંડો ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેની તપાસ સીબીઆઈ (Congress Demand CBI Investigation)દ્વારા થવી જોઈએ. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા વીરજી ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં થયેલું જેમાં જમીન કૌભાંડમાં રાજકોટ ભુજ અમરેલીમાં પણ આવી ઘટના બની છે. ત્યારે હાઇકોર્ટના કોઈપણ જજના વડપણ નીચે આ કેસની તપાસ કરવાની પણ માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સરકારની મીઠી નજર હેઠળ અધિકારીઓ બેફામ : લલિત વસોયા

ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામા આપ્યા બાદ સતત વિજય રૂપાણીના નામના કૌભાંડો અને આક્ષેપો સામે આવી રહ્યા છે. રાજકોટના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા આક્ષેપો મુજબ 75 લાખ રૂપિયાની કટકી રાજકોટ પોલીસ કમિશનરે કરી હતી અને તેમાં પણ તથા અન્ય ફરિયાદોના આધારે બીજી પણ વિજય રૂપાણીના નામે કૌભાંડ થયેલા હોવાની ફરિયાદ અને આક્ષેપો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ આક્ષેપ કર્યો હતો કે રૂપિયા 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી જમીનના ઝોન ફેરફારની મંજૂરી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન (Allegation against former CM) વિજય રૂપાણીએ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા બિલ્ડરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપના આગેવાનોની CBI તપાસની (Congress Demand CBI Investigation) માગ કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડાએ (Congress Allegation against Vijay Rupani ) પણ કરી હતી.

પંચમહાલ, રાજકોટ, સુરત સહિત ઘણી જગ્યાએ આવા કૌભાંડ થયા હોવાના આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યા

સીએમ રૂપાણીએ સહી કરીને શરતો ફેરફાર કરી

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પારદર્શક વહીવટની વાતો ચાલે છે કે જ્યારે મુખ્યપ્રધાનના અધિકારીઓની જ પોલંપોલ કરાવી છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશન થકી જે માહિતી મળી છે તે મુજબ રાજકોટમાં જુદા જુદા 20 સર્વે પર 111 એકર જમીનની શરત બદલવામાં આવી છે. જેના તાર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Allegation against former CM) સુધી જોડાયા છે. જ્યારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સહી (Rupani had benefited a private company ) કરીને ઝોન ફેરફાર કર્યો છે. ત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે આ મામલે પગલાં ભરવા જોઇએ. આ ઉપરાંત કોંગ્રેસ એવી પણ માગણી કરે છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા છે. આ ઉપરાંત પંચમહાલ, રાજકોટ, સુરત સહિત ઘણી જગ્યાએ આવા કૌભાંડ થયા હોવાના આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યા છે.

સરકારે ખાનગી કંપનીને ઓર્ડર આપ્યો : શૈલેષ પરમાર

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય રૂપાણીના કૌભાંડ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જે તે સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન શહેરી વિકાસ ખાતું સંભાળતા હતાં ત્યારે મુખ્યપ્રધાન (Allegation against former CM) દ્વારા પરિપત્ર બહાર પાડી બે મહિનાના સમયમાં સરકારે એ કંપનીને ઓર્ડર આપી દીધા હતાં. જ્યારે સહારા ઇન્ડિયા (Sahara India ) દ્વારા અરજી કરી તેના સિવાય અન્ય કંપનીઓએ પણ રાજકોટમાં અરજી કરી હતી. પણ માત્ર સહારાને જ મંજૂરી આપવામાં આવી છે. આમ સરકારમાંથી પ્રેશર કરી શહેરી વિકાસ વિભાગે સહારા જેવી રોડ કંપનીને મંજૂરી આપી હોવાનું નિવેદન શૈલેષ પરમારે કર્યું હતું.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે તપાસ કમિટી ટિમના રાજકોટમાં ધામા

500 કરોડનો ભ્રષ્ટાચાર : સી.જે. ચાવડા

કોંગ્રેસના દંડક સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે (Allegation against former CM) 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. બે વર્ષમાં જમીન પર ઇન્ડસ્ટ્રીઝ માટે કામગીરી કરવી જોઈએ પણ એવું કંઈ પણ પ્રકારનું થયું નથી. પાંચ લાખ ચોરસ વાર જમીન સરકારી જમીન વેચી અબજો રૂપિયા લઇને અધિકારીઓ સુધી પહોંચાડીને આ કૌભાંડ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. આવા અનેક કૌભાંડો ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેની તપાસ સીબીઆઈ (Congress Demand CBI Investigation)દ્વારા થવી જોઈએ. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા વીરજી ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં થયેલું જેમાં જમીન કૌભાંડમાં રાજકોટ ભુજ અમરેલીમાં પણ આવી ઘટના બની છે. ત્યારે હાઇકોર્ટના કોઈપણ જજના વડપણ નીચે આ કેસની તપાસ કરવાની પણ માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સરકારની મીઠી નજર હેઠળ અધિકારીઓ બેફામ : લલિત વસોયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.