ETV Bharat / city

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે - સરદાર વલ્લભભાઈ પટેલ

ગાંધીનગરમાં શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં એક મ્યૂઝિયમ બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મ્યૂઝિયમમાં આવતા પ્રવાસીઓ દેશી રજવાડાઓના ઈતિહાસ, તેમની ગાથા, રજવાડાઓના ભવ્ય વારસા, કલાકારીગિરીની ચીજવસ્તુઓ નીહાળી શકશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે
author img

By

Published : Dec 12, 2020, 11:44 AM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
  • બેઠકમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં મ્યૂઝિયમ બનાવવા લેવાયો નિર્ણય
  • મ્યૂઝિયમમાં દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા બતાવવામાં આવશે
  • આવનારી પેઢીમાં રાષ્ટ્રીય એકતાની ભાવના ઊજાગર કરવાનો પ્રયાસ
  • 562 દેશી રજવાડાઓના ભારતમાં વિલિનીકરણના દસ્તાવેજો પણ જોઈ શકાશે
    સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે
    સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે

ગાંધીનગરઃ કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહેલાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેવામાં હવે આ પ્રતિમાના પરિસરમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં એક મ્યૂઝિયમ બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્માણ પામનારા મ્યૂઝિયમમાં લોકો દેશી રજવાડાઓની ગાથા જોઈ શકશે.

રજવાડાઓના ઈતિહાસથી લોકો પરિચિત

આ સાથે જ રજવાડાઓના ઈતિહાસથી લોકો પરિચિત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ છે.તેમની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ મ્યૂઝિયમ નિર્માણ પામશે. આ ભવ્ય મ્યૂઝિયમથી વર્તમાન અને આવનારી પેઢીમાં રાષ્ટ્ર એકતા ભાવનાનો ઇતિહાસ ઊજાગર થશે.

રજવાડાઓના ભારતમા વિલિનીકરણના દસ્તાવેજો પણ લોકો જોઈ શકશે

આ મ્યૂઝિયમમાં પ્રવાસીઓને ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમ જ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવનાના દર્શન થશે. સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે. આ ઉપરાંત આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલિનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૂત કરવામાં આવશે. દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલકતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

સમગ્ર ગાથાની રજૂઆત થ્રીડી મેપિંગ પ્રોજેક્શનના માધ્યમથી થશે

અત્યાધુનિક થ્રીડી મેપિંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલિટી તેમ જ ઓડિયો-વીડિયો કન્ટ્રોલ લાઈટ સિસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે. ભારતના અલગ અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ પરિવારોનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવશે. આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
  • બેઠકમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં મ્યૂઝિયમ બનાવવા લેવાયો નિર્ણય
  • મ્યૂઝિયમમાં દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા બતાવવામાં આવશે
  • આવનારી પેઢીમાં રાષ્ટ્રીય એકતાની ભાવના ઊજાગર કરવાનો પ્રયાસ
  • 562 દેશી રજવાડાઓના ભારતમાં વિલિનીકરણના દસ્તાવેજો પણ જોઈ શકાશે
    સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે
    સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે

ગાંધીનગરઃ કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહેલાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેવામાં હવે આ પ્રતિમાના પરિસરમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં એક મ્યૂઝિયમ બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્માણ પામનારા મ્યૂઝિયમમાં લોકો દેશી રજવાડાઓની ગાથા જોઈ શકશે.

રજવાડાઓના ઈતિહાસથી લોકો પરિચિત

આ સાથે જ રજવાડાઓના ઈતિહાસથી લોકો પરિચિત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ છે.તેમની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ મ્યૂઝિયમ નિર્માણ પામશે. આ ભવ્ય મ્યૂઝિયમથી વર્તમાન અને આવનારી પેઢીમાં રાષ્ટ્ર એકતા ભાવનાનો ઇતિહાસ ઊજાગર થશે.

રજવાડાઓના ભારતમા વિલિનીકરણના દસ્તાવેજો પણ લોકો જોઈ શકશે

આ મ્યૂઝિયમમાં પ્રવાસીઓને ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમ જ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવનાના દર્શન થશે. સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે. આ ઉપરાંત આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલિનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૂત કરવામાં આવશે. દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલકતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

સમગ્ર ગાથાની રજૂઆત થ્રીડી મેપિંગ પ્રોજેક્શનના માધ્યમથી થશે

અત્યાધુનિક થ્રીડી મેપિંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલિટી તેમ જ ઓડિયો-વીડિયો કન્ટ્રોલ લાઈટ સિસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે. ભારતના અલગ અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ પરિવારોનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવશે. આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.