ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા, 03 લોકોના થયા મૃત્યુ

author img

By

Published : Jul 1, 2021, 9:31 PM IST

રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના 100થી પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 84 કેસ નોંધાયા છે. તેમજ 3 દર્દીના મોત થયા છે. આજે ગુરુવારે વધુ 300 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
  • છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા
  • 300 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 84 કેસ નોંધાયાં છે. આજે ગુરુવારે વધુ 300 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 03 દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. સુરતમાં 11, બરોડામાં 04 અને રાજકોટમાં 04 કેસ નોંધાયા છે.

રાજયમાં વધુ 2,84,791 વ્યક્તિનું રસીકરણ કરાયું છે

રાજ્યમાં કોરોના( Corona) સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે ગુરુવારે 2,84,791 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,59,62,782 વ્યક્તિને રસી આપવામાં આવી છે. આજે ગૃરુવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,50,801 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 3774 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

આ પણ વાંચોઃ ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 2794 એક્ટિવ કેસ છે. જેમાં 11 વેન્ટિલેટર પર અને 2783 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10062 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,10,751 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.44 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગેનું સોગંદનામું રજૂ કર્યું

  • છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા
  • 300 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 84 કેસ નોંધાયાં છે. આજે ગુરુવારે વધુ 300 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 03 દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. સુરતમાં 11, બરોડામાં 04 અને રાજકોટમાં 04 કેસ નોંધાયા છે.

રાજયમાં વધુ 2,84,791 વ્યક્તિનું રસીકરણ કરાયું છે

રાજ્યમાં કોરોના( Corona) સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે ગુરુવારે 2,84,791 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,59,62,782 વ્યક્તિને રસી આપવામાં આવી છે. આજે ગૃરુવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,50,801 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 3774 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

આ પણ વાંચોઃ ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 2794 એક્ટિવ કેસ છે. જેમાં 11 વેન્ટિલેટર પર અને 2783 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10062 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,10,751 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.44 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગેનું સોગંદનામું રજૂ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.