- રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 644 પોઝિટિવ કેસ નોંધાયા
- 1675 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 93, વડોદરા 92, સુરત 63 અને રાજકોટમાં 27 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 644 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે બુધવારે સૌથી વધુ 1674 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 10 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.
આ પણ વાંચો : ભાવનગર શહેરમાં ત્રીજી લહેરમાં તંત્રની તૈયારી : 120 બેડ સજ્જ
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 234 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરા 92, સુરત 63 અને રાજકોટમાં 27 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Corona Effect: અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ
આજે 2,66,222 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે બુધવારે 2,66,222 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,91,80,865 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,75,660 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 13,683 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 346 વેન્ટિલેટર પર અને 13,337 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9965 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,74,709 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.11 ટકા સુધી પહોંચ્યો છે.