ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા, 14 દર્દીઓ થયા કોવિડ મુક્ત

તહેવારોનો સમયગાળો (Festive Season) ચાલી રહ્યો છે અને લોકોની ભીડ અત્યારે બજારો (Market) અને પ્રવાસન સ્થળો પર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસો (Corona Cases)માં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળી વેકેશન (Diwali Vacation) બાદ કોરોનાના કેસોમાં વધારો થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

author img

By

Published : Nov 1, 2021, 9:43 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે વધારો
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે આવી રહ્યા હતા. બીજી લહેર બાદ કોરોના સંક્રમણ (Coronavirus) કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પરંતુ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવેમ્બર માસની 01 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત, અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4-વલસાડ, નવસારી, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા અને અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 3,24,655 નાગરિકોને વેક્સિન અપાઈ

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,24,655 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 32,152 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 2,04,470 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,10,25,631 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 196 એક્ટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 196 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 190 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,311 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Police Grade pay : કમિટીઓ અલગ અલગ જિલ્લાના ઝોન બનાવીને પોલીસકર્મીઓના પ્રશ્નો સાંભળશે

આ પણ વાંચો: ટેકનોલોજી આવતાં રોજમેળ વિસરાઇ, હવે ફક્ત પૂજા કરવાં જ ખરીદાય છે રોજમેળ

  • રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે વધારો
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે આવી રહ્યા હતા. બીજી લહેર બાદ કોરોના સંક્રમણ (Coronavirus) કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પરંતુ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવેમ્બર માસની 01 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત, અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4-વલસાડ, નવસારી, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા અને અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 3,24,655 નાગરિકોને વેક્સિન અપાઈ

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,24,655 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 32,152 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 2,04,470 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,10,25,631 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 196 એક્ટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 196 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 190 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,311 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Police Grade pay : કમિટીઓ અલગ અલગ જિલ્લાના ઝોન બનાવીને પોલીસકર્મીઓના પ્રશ્નો સાંભળશે

આ પણ વાંચો: ટેકનોલોજી આવતાં રોજમેળ વિસરાઇ, હવે ફક્ત પૂજા કરવાં જ ખરીદાય છે રોજમેળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.