ETV Bharat / city

કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાએ લીધી ભાવનગરની મુલાકાત

author img

By

Published : May 17, 2020, 8:25 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી પાણી વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી સમસ્યા હલ કરવા ખુદ રાજ્યના કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયા આવી પોહચ્યા છે. કુંવરજી બાવળિયાએ પાણી સમસ્યા સાથે સમાજના જોરદાર ચાલતા ભોજન વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી. સતત લોકડાઉન સુધી ગરીબોને ભોજન, શાકભાજી સહિત ટિફિન વ્યવસ્થા અવિરત ચાલુ રાખવાના યજ્ઞના અંતિમ દિવસે ઉપસ્થિત રહી સમાજના આગેવાનો અને કાર્યકરોને મળીને અભિનંદન પાઠવ્યા હતા તો ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત પાણી મુદ્દે કરી હતી.

kunwarji bawaliya
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયા

ભાવનગરઃ શહેરમાં લોકડાઉન સમયથી અખિલ ભારતીય કોળી સમાજ ગરીબોને શાકભાજી, અનાજની કીટ અને ટિફિન વ્યવસ્થા કરવામાં આવી છે. આજે લોકડાઉન ત્રણના અંતિમ દિવસે અંતર રાખીને હવન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પદે રાજ્યના કેબિનેટ પાણીપૂર્વઠા પ્રધાન કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇટીવી ભારત સાથે EXCLUSIVE વાત કરી પાણી બાબતે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.

kunwarji bawaliya
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાની સમાજની મુલાકાતે
કુંવરજી બાવળીયાએ હવનમાં પણ કોરોના મહામારી દૂર થાય અને લોકોને હિંમત મળે તેવા ઉદેશ્ય સાથે હવનમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ અને પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સંગઠનની કામગીરીને આવકારી હતી અને રોજના આશરે 50 હજાર જેવો ખર્ચ કરીને 50 દિવસ સુધી સેવા આપવાને આવકારી અને હિમંતવાળી સેવા ગણાવી હતી.
kunwarji bawaliya
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયા યજ્ઞમાં
ભાવનગરમાં પોતાના સમાજના કાર્યક્રમમાં આવેલા કુંવરજી બાવળિયા છેલ્લા બે દિવસથી ભાવનગરમાં પાણીના વિતરણ કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યા છે. ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, મનરેગા નીચે કામ ચાલી રહ્યા છે. રાજ્યમાં પાણીને પગલે ગામડાઓમાં પણ જ્યાં તકલીફ છે તે દૂર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ચોમાસુ માથે ટકોર કરશે જેથી અત્યારે મનરેગા નીચે લોકડાઉનમાં કામ મજદૂરોને અપાઈ રહ્યું છે. ચોમાસામાં પાણીની તકલીફ ન પડે તે માટે તળાવો પણ ઊંડા ઉતારવાનું કામ મનરેગા નીચે ચાલી રહ્યું છે.
ભવનગરમાં કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાની સમાજ અને પાણી માટે મુલાકાતે

ભાવનગરઃ શહેરમાં લોકડાઉન સમયથી અખિલ ભારતીય કોળી સમાજ ગરીબોને શાકભાજી, અનાજની કીટ અને ટિફિન વ્યવસ્થા કરવામાં આવી છે. આજે લોકડાઉન ત્રણના અંતિમ દિવસે અંતર રાખીને હવન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પદે રાજ્યના કેબિનેટ પાણીપૂર્વઠા પ્રધાન કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇટીવી ભારત સાથે EXCLUSIVE વાત કરી પાણી બાબતે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.

kunwarji bawaliya
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાની સમાજની મુલાકાતે
કુંવરજી બાવળીયાએ હવનમાં પણ કોરોના મહામારી દૂર થાય અને લોકોને હિંમત મળે તેવા ઉદેશ્ય સાથે હવનમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ અને પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સંગઠનની કામગીરીને આવકારી હતી અને રોજના આશરે 50 હજાર જેવો ખર્ચ કરીને 50 દિવસ સુધી સેવા આપવાને આવકારી અને હિમંતવાળી સેવા ગણાવી હતી.
kunwarji bawaliya
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયા યજ્ઞમાં
ભાવનગરમાં પોતાના સમાજના કાર્યક્રમમાં આવેલા કુંવરજી બાવળિયા છેલ્લા બે દિવસથી ભાવનગરમાં પાણીના વિતરણ કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યા છે. ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, મનરેગા નીચે કામ ચાલી રહ્યા છે. રાજ્યમાં પાણીને પગલે ગામડાઓમાં પણ જ્યાં તકલીફ છે તે દૂર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ચોમાસુ માથે ટકોર કરશે જેથી અત્યારે મનરેગા નીચે લોકડાઉનમાં કામ મજદૂરોને અપાઈ રહ્યું છે. ચોમાસામાં પાણીની તકલીફ ન પડે તે માટે તળાવો પણ ઊંડા ઉતારવાનું કામ મનરેગા નીચે ચાલી રહ્યું છે.
ભવનગરમાં કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાની સમાજ અને પાણી માટે મુલાકાતે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.