ETV Bharat / city

ભાવનગર મનપાની નવી યોજના, ‘ટેસ્ટ ઓન કોલ’ અંતર્ગત ઘરે બેઠા રેપીડ ટેસ્ટ થશે - ઘરે બેઠા કોરોનાનો ઇલાજ

ભાવનગરમાં કોરોના સંક્રમણને રોકવા મહાનગરપાલિકાએ વડીલો અને દિવ્યાંગો માટે નવી યોજના ‘ટેસ્ટ ઓન કોલ’ અમલમાં મૂકી છે. આ યોજનામાં ઘરે જઈને મનપાની ટિમ ફ્રીમાં તપાસ કરી આપશે. જો કે, લાભ લેનારા વ્યક્તિઓએ એક કોલ કરી વોટ્સએપ નંબર દ્વારા તેમાં આધારકાર્ડ બતાવવાનું રહેશે. જેના આધારે ઘરે બેઠા ફ્રીમાં રેપીડ ટેસ્ટ થશે.

Bhavnagar latest news
ભાવનગર મનપાની નવી યોજના
author img

By

Published : Oct 6, 2020, 9:02 PM IST

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનાનો આંકડો 5 હજાર નજીક પહોંચવા આવ્યો છે અને રોજ 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. તેવામાં મહાનગરપાલિકા દ્વારા વડીલ અને દિવ્યાંગો માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Bhavnagar latest news
ભાવનગર મનપાની નવી યોજના
ભાવનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4350 કુલ કેસ નોંધાયા છે અનેે 68 જેટલા દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત 398 હજુ દર્દીઓ સારવાર હેઠળ છે અને કુલ 3,877 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે.
Bhavnagar latest news
ઘરે ઘરે જઇ લોકોના રેપીડ ટેસ્ટ કરાશે

કોરોના મહામારીમાં લોકો હવે ઘરે ઉપચાર કરતા થઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાએ નવો નુસખો અપનાવ્યો છે. રાજ્યમાં ભાવનગર મનપાએ નવી યોજના ‘ટેસ્ટ ઓન કોલ’ અમલમાં મુકવામાં આવી છે. જેમાં વડીલો અને દિવ્યાંગો માટે એક ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એક કોલ ઉપર મનપાની ટિમ દિવ્યાંગ અને વડીલોને ઘરે જઈને સારવાર કરશે. આ સેવા કોરોના માટેના રેપીડ ટેસ્ટ માટે ઉભી કરવામાં આવી છે.

ભાવનગર મનપાની નવી યોજના
કોરોના દર્દીઓના રેપીડ ટેસ્ટ શહેરમાં આવેલા 12 આરોગ્ય કેન્દ્ર ઉપર કરવામાં આવી રહ્યા છે. આ સાથે આરોગ્યની ટિમ ઘરે-ઘરે સર્વે પણ કરી ચૂકી છે. એવામાં હવે વડીલોની ચિંતા અને દિવ્યાંગોની ચિંતા વ્યક્ત કરીને રેપીડ ટેસ્ટ કરવા મનપાએ નવી યોજના અમલમાં મૂકી છે.

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનાનો આંકડો 5 હજાર નજીક પહોંચવા આવ્યો છે અને રોજ 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. તેવામાં મહાનગરપાલિકા દ્વારા વડીલ અને દિવ્યાંગો માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Bhavnagar latest news
ભાવનગર મનપાની નવી યોજના
ભાવનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4350 કુલ કેસ નોંધાયા છે અનેે 68 જેટલા દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત 398 હજુ દર્દીઓ સારવાર હેઠળ છે અને કુલ 3,877 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે.
Bhavnagar latest news
ઘરે ઘરે જઇ લોકોના રેપીડ ટેસ્ટ કરાશે

કોરોના મહામારીમાં લોકો હવે ઘરે ઉપચાર કરતા થઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાએ નવો નુસખો અપનાવ્યો છે. રાજ્યમાં ભાવનગર મનપાએ નવી યોજના ‘ટેસ્ટ ઓન કોલ’ અમલમાં મુકવામાં આવી છે. જેમાં વડીલો અને દિવ્યાંગો માટે એક ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એક કોલ ઉપર મનપાની ટિમ દિવ્યાંગ અને વડીલોને ઘરે જઈને સારવાર કરશે. આ સેવા કોરોના માટેના રેપીડ ટેસ્ટ માટે ઉભી કરવામાં આવી છે.

ભાવનગર મનપાની નવી યોજના
કોરોના દર્દીઓના રેપીડ ટેસ્ટ શહેરમાં આવેલા 12 આરોગ્ય કેન્દ્ર ઉપર કરવામાં આવી રહ્યા છે. આ સાથે આરોગ્યની ટિમ ઘરે-ઘરે સર્વે પણ કરી ચૂકી છે. એવામાં હવે વડીલોની ચિંતા અને દિવ્યાંગોની ચિંતા વ્યક્ત કરીને રેપીડ ટેસ્ટ કરવા મનપાએ નવી યોજના અમલમાં મૂકી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.