ભાવનગર : શહેર અને જિલ્લામાં રક્ષાબંધન પર્વ બ્રાહ્મણો માટે બેવડો તહેવાર બની જાય છે. આજના દિવસે એટલે કે રક્ષાબંધન પર્વ પર બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. બ્રાહ્મણો આજના દિવસે શરીર પર ધારણ કરેલી જનોઈ વર્ષમાં એક દિવસ બદલવાની હોઈ છે. આજના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. જનોઈ ગ્રહણ બે વર્ણમાં કરાય છે. એક બ્રાહ્મણ અને ક્ષત્રિય પણ બ્રાહ્મણોને જનોઈ ગાયત્રી દ્વારા વેદમાં અપાયેલી રક્ષા કવચ સમાન છે.
- રક્ષાબંધન પર્વ પર બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત
- રક્ષાબંધન પર્વ બ્રાહ્મણો માટે બેવડો તહેવાર
- બ્રહ્મણોનો બેવડો તહેવાર રક્ષાબંધન
- રક્ષાની રાખડી અને સુરક્ષા કવચ જનોઈ
શાસ્ત્રમાં જનોઈ દરેક બ્રાહ્મણને કિશોર અવસ્થામાં આપવામાં આવે છે. કિશોર અવસ્થામાં ત્રણ દોરાની જનોઈ હોઈ છે, પરંતુ એજ વ્યક્તિના યુવા અવસ્થામાં લગ્ન થતા જનોઈ 6 દોરામાં પરિવર્તિત થાય છે, કારણ કે પત્નીની પણ જવાબદારી ધર્મ પ્રમાણે બ્રાહ્મણ પુરુષના શિરે આવે છે.
ધાર્મિક રીતે રક્ષાબંધન પર બ્રાહ્મણો પવિત્ર ચોઘડિયામાં સવારમાં જનોઈ માતાજીની સામે બેસીને પવિત્રતા સાથે જનોઈ બદલાવે છે. રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની હોવાથી બ્રાહ્મણ પરિવાર અથવા કુટુંબ સાથે બેસીને ભોજન આરોગવાની પણ પ્રથા બ્રાહ્મણ ઘરોમાં જોવા મળે છે. ભાવનગરમાં પણ બ્રાહ્મણોએ જનોઈ બદલીને રક્ષાબંધન પર્વની બેવડી ઉજવણી કરી હતી.