- ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર
- આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષોના પોસ્ટર દુર કરાયા
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણી પંચે શરૂ કરી કાર્યવાહી
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગવાથી ચૂંટણી વિભાગે આજથી જાહેરમાં લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટરો હટાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરમાં ઠેકઠેકાણે લાગેલા પોસ્ટરોને ઉતારી લેવામાં આવ્યા હતા. જેથી આજથી શહેરમાં લોકોને રાજકીય પક્ષોના પોસ્ટર જોવા મળશે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચ સતર્ક બન્યું છે. શહેરમાં લાગેલા વિવિધ રાજકીય પક્ષોના પોસ્ટરો ઉતારવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે લોકોને રસ્તા પર કોઈ પણ રાજકીય પક્ષના બેનર જોવા મળશે નહીં.
આચાર સંહિતાને પગલે શરૂ કરી કામગીરી
ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ થયા બાદ તંત્રએ કામગીરી આરંભી દીધી છે. ભાવનગર શહેરમાં લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટરોને હટાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશ અને નિયમ મુજબ રાજકીય પક્ષોના પોસ્ટર હટાવવાનો પ્રારંભ થયો છે. જેથી હવે રાજકીય પક્ષોના પોસ્ટરો જોવા મળશે નહીં.
આચારસંહિતાનો ભંગ ન થાય તેના કાળજી રખાશે
ચૂંટણી પંચના આદેશ મુજબ ભાવનગર શહેરમાં થાંભલા પર લાગેલા રાજકીય પક્ષોના બોર્ડને દૂર કરવામાં આવી રહ્યા છે. આજે સવારથી જ આ કામગીરીનો પ્રારંભ થતાં હવે લોકોને રસ્તા પર રાજકીય પક્ષોના બેનર જોવા નહીં મળે. ચૂંટણીની જાહેરાત બાદ હવે તંત્ર આચારસંહિતાનો ભંગ થાય નહીં તેના પર બાઝ નજર રાખશે.