અમદાવાદઃ 7 જુલાઇ, વિશ્વ ચોકલેટ દિવસને સર્વશ્રેષ્ઠ માનવ રચના છે. ચોકલેટ સારા મૂડની વૃદ્ધિ માટે કામ કરે છે અને તેનાથી આશ્ચર્યજનક આરોગ્ય લાભ થાય છે. હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, ત્યારે ‘સુંદર વિશ્વ પહેલ’ના સંકલ્પ હેઠળ વર્લ્ડ પીસ એન્ડ ડિપ્લોમસી ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વોરિયર માટે ‘બી ધ રિઝન ફોર અ સ્માઈલ’ કેમ્પેઇન શરૂ કરાયું છે. જે હેઠળ પોલીસ, પત્રકાર, મેડિકલ-પેરામેડિકલ હોરર અને તેમના પરિવારના ચહેરા પર સ્માઈલ લાવવાનો ચોકલેટ આપીને એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.
‘વિશ્વ ચોકલેટ દિવસ’ની ઉજવણી
- ‘સુંદર વિશ્વ પહેલ’ના સંકલ્પ હેઠળ વર્લ્ડ પીસ એન્ડ ડિપ્લોમસી ઓર્ગેનાઈઝેશન દ્વારા ઉજવણી
- કોરોના વોરિયર માટે ‘બી ધ રિઝન ફોર અ સ્માઈલ’ કેમ્પેઇન શરૂ કરાયું
- આ કાર્ય અમદાવાદ દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોચીન અને કોલકતા જેવા શહેરોમાં પણ શરૂ કરાયું
- કોરોના વોરિયર્સને ચોકલેટ આપી સન્માન કરાયું
કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં સમાજમાં રહીને કામ કરતા સાચા વોરિયરને પ્રોત્સાહન મળે તે ખૂબ જ જરૂરી છે, જેથી જ કોરોના વોરિયર અને તેમના પરિવારના ચહેરા પર સ્માઇલ લાવવાનું કાર્ય શરૂ કરાયુ છે. આ કાર્ય ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોચીન અને કોલકતા જેવા શહેરોમાં પણ શરૂ કરાયું છે. હાલ જે મહામારી ચાલી રહી છે, તેના પગલે કોરોના વોરિયરમાં પણ સકારાત્મક વિચારોની જરૂર હોય છે.
ચોકલેટની વાત કરવામાં આવે તો, ચોકલેટને પણ સકારાત્મક્તા લાવવા માટે સાબિત થયેલું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય કે કોઈપણ પ્રકારના માનસિક તણાવમાં હોય ત્યારે ચોકલેટ ખાઈને તેમનો મૂડ બદલાઈ જતો હોય છે, ત્યારે આ ચળવળની મદદથી કોરોના વોરિયરમાં પણ સકારત્મક્તાની લહેર આજના દિવસે તેમજ આગળના દિવસોમાં પણ જોવા મળશે. મહત્વનું છે કે, આ કેમ્પેઈન થોડા દિવસ પહેલા શરૂ કરાયું છે. જેમાં અમદાવાદના લોકો પણ વોલેન્ટિયર તરીકે જોડાયા છે, તેમજ આ લોકોને જ્યાં પણ તેમને કોરોના વોરિયર્સ દેખાય છે, તેમને ચોકલેટ આપી સન્માન કરી રહ્યાં છે.