ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત

author img

By

Published : Oct 15, 2021, 4:11 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) એકવાર ફરી ગુજરાત આવવાના છે. તેઓ 19મી અને 20મી ઑક્ટોબરે માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (Pranapratishtha Mahotsav of the temple)માં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન (Union Home Minister)ને ગ્રામજનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
  • વતનમાં મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત
  • નવરાત્રીના બીજા દિવસે આવ્યા હતા ગુજરાત

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નવરાત્રીના બીજા દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી. તો હવે તેઓ આગામી 19મી અને 20મી ઑક્ટોબરે ફરી એકવાર ગુજરાત આવશે.

ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ

ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (Pranapratishtha Mahotsav of the temple)માં ઉપસ્થિત રહેવા માટે ગ્રામજનો દ્વારા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ સાથે જ તેમણે પોતાના લોકસભા મત વિસ્તાર (Lok Sabha constituency)ના નાગરિકો તેમજ ગુજરાત અને દેશના લોકોને દશેરા તેમજ દુર્ગાપૂજાની શુભકામનાઓ પાઠવી હતી.

31 ઑક્ટોબરે કેવડિયા આવશે અમિત શાહ

આગામી 31મી ઑકટોબરે સરદાર પટેલનો જન્મદિવસ આવે છે. તેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કેવડિયા ખાતે થશે. આ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

નવરાત્રીના બીજા નોરતે માણસામાં આવ્યા હતા શાહ

ઉલ્લેખનીય છે કે આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રીના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે.

આ પણ વાંચો: મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ

આ પણ વાંચો: આજે બીજા નોરતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેમના વતન માણસામાં માતાજીના દર્શન કરી ઉતારી આરતી

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
  • વતનમાં મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત
  • નવરાત્રીના બીજા દિવસે આવ્યા હતા ગુજરાત

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નવરાત્રીના બીજા દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી. તો હવે તેઓ આગામી 19મી અને 20મી ઑક્ટોબરે ફરી એકવાર ગુજરાત આવશે.

ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ

ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (Pranapratishtha Mahotsav of the temple)માં ઉપસ્થિત રહેવા માટે ગ્રામજનો દ્વારા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ સાથે જ તેમણે પોતાના લોકસભા મત વિસ્તાર (Lok Sabha constituency)ના નાગરિકો તેમજ ગુજરાત અને દેશના લોકોને દશેરા તેમજ દુર્ગાપૂજાની શુભકામનાઓ પાઠવી હતી.

31 ઑક્ટોબરે કેવડિયા આવશે અમિત શાહ

આગામી 31મી ઑકટોબરે સરદાર પટેલનો જન્મદિવસ આવે છે. તેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કેવડિયા ખાતે થશે. આ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

નવરાત્રીના બીજા નોરતે માણસામાં આવ્યા હતા શાહ

ઉલ્લેખનીય છે કે આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રીના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે.

આ પણ વાંચો: મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ

આ પણ વાંચો: આજે બીજા નોરતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેમના વતન માણસામાં માતાજીના દર્શન કરી ઉતારી આરતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.