હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, કૉલેજો દ્વારા નિયમોને નેવે મૂકીને કરવામાં આવતી મનમાનીને લીધે ભણતરનું સ્તર કથળી ગયું છે. ખાલી જગ્યાઓ માટે વિવિધ કૉલેજોમાં મેરીટ પ્રમાણે NEETમાં ઉર્તીણ થયેલા ઉમેદવારોને જ પ્રવેશ મળી શકશે. દર વર્ષે આ પ્રકારના કેસ હાઈકોર્ટમાં આવે છે અને કૉલેજ, સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી જાય છે. પરતું હવે તેવું ચાલાવી લેવાશે નહીં.
હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલું અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોધ્યું કે, સંસ્થાની ગેરરીતિ અને મનમાનીને લીધે લાયકાત ધરાવતા ઉમેદવારોને તક મળતી નથી, અને પરિણામે શિક્ષણનું સ્તર કથળે છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, પારૂલ યુનિવર્સિટીના વર્ષ 2019-20 માટે નીટ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં, 15 વિદ્યાર્થીઓએ પોતાના એડમિશન કેન્સલ કરાવ્યા હતા. ત્યારબાદ કૉલેજે જાતે નિયમો અને ધારા-ધોરણ વિરૂધ જઇ 15 વિદ્યાર્થીઓને ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ આપ્યો હતો. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.