ETV Bharat / city

મનપા સંચાલિત હોસ્પિટલને સંપૂર્ણ કોવીડ-19માં ફેરવાઈ - અમદાવાદમાં કોરોનાનો હાહાકાર

અમદાવાદ શહેરમાં વધતા કોરોનાના દર્દીઓને પૂરતા પ્રમાણમાં બેડ, રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે મનપાએ વધુ કામગીરી શરુ કરી છે. અત્યાર સુધી મનપા સંચાલિત હોસ્પિટલમાં અંશતઃ બેડને કોરોના માટે રાખવામાં આવ્યા હતા. જેને હેવ મનપાએ સંપૂર્ણ કોવીડ-19 માટે ડેઝિગ્નેટેડ કર્યા છે. આ ઉપરાંત દૈનિક જરૂરિયાત મંદોને 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરી હોવાનો દાવો મનપાએ કર્યો છે.

મનપા સંચાલિત હોસ્પિટલને સંપૂર્ણ કોવીડ-19માં ફેરવાઈ
મનપા સંચાલિત હોસ્પિટલને સંપૂર્ણ કોવીડ-19માં ફેરવાઈ
author img

By

Published : Apr 14, 2021, 7:19 PM IST

  • કોરોનાના વધતા કેસ સામે મનપાએ નવી સુવિધા ઉભી કરી
  • રેમડેસીવીરના 10 હજાર ઇન્જેક્શન જરૂરિયાતમંદો માટે નિર્ધારિત કર્યા
  • મનપા સંચાલિત હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો

અમદાવાદઃ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં વધારો થતાં મનપાએ અગાઉ મનપા દ્વારા રીફર કરાયેલા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં 20 ટકા આરક્ષણ જાહેર કરતો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરના બીજા જ દિવસે મનપા કમિશન મુકેશ કુમારે નવો ઓર્ડર કર્યો છે. જેમાં મનપા સંચાલિત VS, શારદા અને LG હોસ્પિટલને સંપૂર્ણ રીતે કોવીડ-19 માટે ડેઝિગ્નેટેડ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોવિડ સેન્ટરમાં દર્દીઓને સવારે ઘરનો ચા અને નાસ્તો આપવા માટે સંબંધીઓની લાંબી કતારો લાગી

રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા

મનપાએ જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટેની વ્યવસ્થા SVP હોસ્પિટલમાં કરવામાં આવી છે. ઇન્જેક્શન મેળવવા માટે દર્દીની માહિતી સાથે ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિને મોકલીને ઇન્જેક્શન SVPના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી મેળવી લેવાના રહેશે. આ માટે મનપાએ 10 હજાર ઇન્જેક્શન નિર્ધારિત કરી રાખ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં વધારો

  • કોરોનાના વધતા કેસ સામે મનપાએ નવી સુવિધા ઉભી કરી
  • રેમડેસીવીરના 10 હજાર ઇન્જેક્શન જરૂરિયાતમંદો માટે નિર્ધારિત કર્યા
  • મનપા સંચાલિત હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો

અમદાવાદઃ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં વધારો થતાં મનપાએ અગાઉ મનપા દ્વારા રીફર કરાયેલા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં 20 ટકા આરક્ષણ જાહેર કરતો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરના બીજા જ દિવસે મનપા કમિશન મુકેશ કુમારે નવો ઓર્ડર કર્યો છે. જેમાં મનપા સંચાલિત VS, શારદા અને LG હોસ્પિટલને સંપૂર્ણ રીતે કોવીડ-19 માટે ડેઝિગ્નેટેડ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોવિડ સેન્ટરમાં દર્દીઓને સવારે ઘરનો ચા અને નાસ્તો આપવા માટે સંબંધીઓની લાંબી કતારો લાગી

રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા

મનપાએ જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટેની વ્યવસ્થા SVP હોસ્પિટલમાં કરવામાં આવી છે. ઇન્જેક્શન મેળવવા માટે દર્દીની માહિતી સાથે ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિને મોકલીને ઇન્જેક્શન SVPના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી મેળવી લેવાના રહેશે. આ માટે મનપાએ 10 હજાર ઇન્જેક્શન નિર્ધારિત કરી રાખ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.