અમદાવાદઃ ચોમાસામાં પણ અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓને લઈને મોટા પાયે કોર્પોરેશન પર માછલાં ધોવાયાં હતાં. પરિણામે મુખ્ય પ્રધાનની ઓફિસમાંથી દખલગીરી થતાં, ત્રીજા ભાગના અમદાવાદમાં રસ્તાઓને રિપેર કરવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે અત્યારે ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ છે, રસ્તાઓ ખરાબ છે, ગટરો ઉભરાવવાનો પ્રશ્ન છે. તેમ જ કચરાના નિકાલનો પ્રશ્ન પણ વિકટ બની રહ્યાં છે.
ભારતીય જનતા પરિષદના કાર્યકરો ચીમકી ઉચ્ચારી હતી કે, જો તેમના આવેદન ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળના સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે.