ETV Bharat / city

Teachers Union demands: પડતર પ્રશ્નોની વણઉકેલાયેલી રહેતા શૈક્ષણિક સંઘે કર્યો પેપર મૂલ્યાંકનનો બહિષ્કાર

author img

By

Published : Apr 4, 2022, 10:37 PM IST

શૈક્ષણિક સંઘ દ્વારા જણાવેલ સમસ્યાઓ(Problems reported by academic association) સંદર્ભે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે, જેનું નિરાકરણ બાકી છે. ગુજરાતના તમામ શિક્ષકોને ધોરણ 10 અને 12માં મૂલ્યાંકન કાર્યનો બહિષ્કાર કરવા કહેવામાં આવ્યું છે. જો શિક્ષકો હવે મૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગ લેતા નથી તો શૈક્ષણિક પ્રણાલી પર તેનો મોટો પ્રભાવ પડી શકે છે.

Teachers Union demands: પડતર પ્રશ્નોની વણઉકેલાયેલી રહેતા શૈક્ષણિક સંઘે કર્યો પેપર મૂલ્યાંકનનો બહિષ્કાર
Teachers Union demands: પડતર પ્રશ્નોની વણઉકેલાયેલી રહેતા શૈક્ષણિક સંઘે કર્યો પેપર મૂલ્યાંકનનો બહિષ્કાર

અમદાવાદ: રાજ્યમાં શૈક્ષણિક સંઘ દ્વારા કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા એ પ્રશ્નોને લઈને હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી શૈક્ષણિક સંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તમામ શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12 મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો: New Policy for Teachers : શિક્ષણપ્રધાને શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ શિક્ષકો માટેની નવી નીતિની કરી જાહેરાત, જાણો શું છે નવી નીતિ...

મૂલ્યાંકન રદ કરવાની ધમકી આપી - ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ પેપર મૂલ્યાંકનનો બહિષ્કાર(Boycotted paper evaluation) કર્યો હતો અને ધોરણ 10 અને 12 માટે કેન્દ્રીય મૂલ્યાંકન રદ કરવાની ધમકી આપી(Threatening to cancel the assessment) હતી. શિક્ષક સંઘે માંગણી કરી હતી કે પડતર પ્રશ્નોમાંથી એક પણ ઉકેલવામાં નહીં આવે.

આ પણ વાંચો: ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગોને લઈને સંઘ કરી રહ્યું છે રજુઆત - આ દરમિયાન સંઘ દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ વણઉકેલાયેલી છે. જો પ્રશિક્ષકો હવે મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ ન થાય તો તેનો શૈક્ષણિક પ્રણાલી પર નોંધપાત્ર પ્રભાવ પડી શકશે. સંઘે તમામ શિક્ષકોને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું સંચાલન ન કરવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા(Teachers raising voice against government) છે ત્યારે આગામી સમયમાં સરકાર કે સંઘ શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

અમદાવાદ: રાજ્યમાં શૈક્ષણિક સંઘ દ્વારા કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા એ પ્રશ્નોને લઈને હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી શૈક્ષણિક સંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તમામ શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12 મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો: New Policy for Teachers : શિક્ષણપ્રધાને શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ શિક્ષકો માટેની નવી નીતિની કરી જાહેરાત, જાણો શું છે નવી નીતિ...

મૂલ્યાંકન રદ કરવાની ધમકી આપી - ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ પેપર મૂલ્યાંકનનો બહિષ્કાર(Boycotted paper evaluation) કર્યો હતો અને ધોરણ 10 અને 12 માટે કેન્દ્રીય મૂલ્યાંકન રદ કરવાની ધમકી આપી(Threatening to cancel the assessment) હતી. શિક્ષક સંઘે માંગણી કરી હતી કે પડતર પ્રશ્નોમાંથી એક પણ ઉકેલવામાં નહીં આવે.

આ પણ વાંચો: ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગોને લઈને સંઘ કરી રહ્યું છે રજુઆત - આ દરમિયાન સંઘ દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ વણઉકેલાયેલી છે. જો પ્રશિક્ષકો હવે મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ ન થાય તો તેનો શૈક્ષણિક પ્રણાલી પર નોંધપાત્ર પ્રભાવ પડી શકશે. સંઘે તમામ શિક્ષકોને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું સંચાલન ન કરવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા(Teachers raising voice against government) છે ત્યારે આગામી સમયમાં સરકાર કે સંઘ શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.