ETV Bharat / city

ગરીબોના વડાપ્રધાનને ગરીબી જોવી પસંદ નહીં ?

જેવી રીતે રામના નામે પથ્થર પણ તરી જાય તેવી રીતે કળીયુગમાં દરેક નેતાઓ ખોટા કામો કરતા હોવા છતાંય ગાંધીજીનું નામ લઈને સત્યવાદી હોવાનો દેખાવ કરતા હોય છે. મહાત્મા ગાંધી જ્યારે અમદાવાદ આવ્યા અને અહીં આશ્રમની સ્થાપના કરી ત્યારે સાબરમતી નદીના કિનારે એક જ વસ્ત્રોમાં લપેટાયેલી ગરીબ સ્ત્રીને જોઇને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. આ ઘટના બાદ મહાત્મા ગાંધીજીએ આજીવન એક જ વસ્ત્ર પહેરવાનો નિર્ણય લીધો.

author img

By

Published : Mar 11, 2021, 7:04 PM IST

Updated : Mar 11, 2021, 10:57 PM IST

12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે
12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે
  • 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે દાંડી યાત્રાની શરૂઆત
  • આશ્રમની આસ-પાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકવામાં આવી
  • ગરીબો પાસે વોટ 'માંગવા' આવતા રાજકારણીઓને ઝૂંપડપટ્ટી જોવી પણ ગમતી નથી ?

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી ગુજરાત આવશે, દાંડીયાત્રાની 91મી વર્ષગાંઠે 21 દિવસીય દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ ભારતની અને ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી આજે પણ ગરીબ જ છે. તેમ છતાં ગરીબોના નેતાને ગરીબી જોવી ગમતી નથી ? અમેરિકાના તે વખતના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે ઝૂંપડપટ્ટીઓ ઢાંકી દેવામાં આવી હતી. તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ આવી રહ્યા હોવાથી આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી છે.

આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી
આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે દાંડીયાત્રાના પદયાત્રિકોને આપશે લીલીઝંડી

શરમ આવતી હોય તો વોટ માંગવા શા માટે આવો છો: સ્થાનિકો

આશ્રમના સ્થાનિકોએ ETV BHARAT દ્વારા નેતાઓને પૂછ્યું હતું કે, શું તેઓ ભારતના નાગરીક નથી ? શું વડાપ્રધાન કોઈ બીજા દેશના પ્રમુખ છે ? કે પછી જેમના વોટથી તેમની પાર્ટી વિજયી બનતી આવી છે તે જ લોકોથી તેમને તકલીફ છે ? જો તમને ગરીબી જોવી નથી ગમતી તો ગરીબી દૂર કરવા તમે શું કર્યું ? આ અંગે અમારા સંવાદાતાએ તંત્રનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું સંપર્ક થઈ શક્યો ન હતો.

આશ્રમની આસ-પાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકવામાં આવી

  • 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે દાંડી યાત્રાની શરૂઆત
  • આશ્રમની આસ-પાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકવામાં આવી
  • ગરીબો પાસે વોટ 'માંગવા' આવતા રાજકારણીઓને ઝૂંપડપટ્ટી જોવી પણ ગમતી નથી ?

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી ગુજરાત આવશે, દાંડીયાત્રાની 91મી વર્ષગાંઠે 21 દિવસીય દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ ભારતની અને ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી આજે પણ ગરીબ જ છે. તેમ છતાં ગરીબોના નેતાને ગરીબી જોવી ગમતી નથી ? અમેરિકાના તે વખતના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે ઝૂંપડપટ્ટીઓ ઢાંકી દેવામાં આવી હતી. તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ આવી રહ્યા હોવાથી આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી છે.

આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી
આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે દાંડીયાત્રાના પદયાત્રિકોને આપશે લીલીઝંડી

શરમ આવતી હોય તો વોટ માંગવા શા માટે આવો છો: સ્થાનિકો

આશ્રમના સ્થાનિકોએ ETV BHARAT દ્વારા નેતાઓને પૂછ્યું હતું કે, શું તેઓ ભારતના નાગરીક નથી ? શું વડાપ્રધાન કોઈ બીજા દેશના પ્રમુખ છે ? કે પછી જેમના વોટથી તેમની પાર્ટી વિજયી બનતી આવી છે તે જ લોકોથી તેમને તકલીફ છે ? જો તમને ગરીબી જોવી નથી ગમતી તો ગરીબી દૂર કરવા તમે શું કર્યું ? આ અંગે અમારા સંવાદાતાએ તંત્રનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું સંપર્ક થઈ શક્યો ન હતો.

આશ્રમની આસ-પાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકવામાં આવી
Last Updated : Mar 11, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.