- કોરોના કાળમાં લોકોનો સહારો બની સ્વંયસેવી સંસ્થાઓ
- અમદાવાદમાં 1 હજાર લોકોને દરરોજ ટિફિન પહોંચાડતી 'હાર્ટ ફાઉન્ડેશન'
- ભુજ તાલુકામાં 15 ઓક્સિજન સિલિન્ડર ફાળવતી સંસ્થા
અમદાવાદઃ કોરોનાએ સમાજમાં તમામ પ્રકારના ભેદભાવ ભુલાવી દીધા છે. આ કપરા કાળમાં નાગરિકોની મદદે કોઈપણ રાજકીય પાર્ટીઓ આવી નથી. ત્યારે કોરોનાના દર્દીઓ અને તેમના સગાઓનો એક માત્ર સહારો સ્વયંસેવી સંસ્થાઓ બની છે. શહેરની સરકારી હોસ્પિટલો જેમ કે, સોલા સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ વગેરેમાં દર્દીઓના સગાઓ હોસ્પિટલની બહાર કેમ્પમાં રહે છે. ત્યારે તેમને જમવાની, સેનેટાઈઝર, માસ્ક અને પીવાના પાણીની વગેરે વ્યવસ્થા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે છે. આમ સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા અનેક રીતે તેમની નાની મુશ્કેલીઓ દૂર કરીને તેમના માટે સહારાનું કાર્ય થાય છે.
![અમદાવાદમાં 'હાર્ટ ફાઉન્ડેશન' સંસ્થા દ્વારા સેવાકાર્ય,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-15-heart-fonudation-photo-story-7209112_24052021170604_2405f_1621856164_845.jpg)
આ પણ વાંચોઃ વડોદરા સેવા ભાવિ સંસ્થા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું
ભુજ હોસ્પિટલને 15 ઓક્સિજન સિલિન્ડરનું દાન