ETV Bharat / city

31 ઑક્ટોબરે અમદાવાદથી સી-પ્લેનની પ્રથમ ઉડાનને લઈને તડામાર તૈયારીઓ... - સી પ્લેન પ્રોજેક્ટ

આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરી ત્યાંથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ તમામ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

31મી ઓક્ટોબરે અમદાવાદથી સી પ્લેનની પ્રથમ ઉડાનને લઈને તડાંમાર તૈયારીઓ
31મી ઓક્ટોબરે અમદાવાદથી સી પ્લેનની પ્રથમ ઉડાનને લઈને તડાંમાર તૈયારીઓ
author img

By

Published : Oct 16, 2020, 3:31 PM IST

અમદાવાદઃ કેનેડાથી મંગાવવામાં આવેલી ફ્લોટિંગ જેટી તેના નિયત સ્થાને લાગી ચૂકી છે. જેટી સુધી જવાનો બ્રિજ પણ યુએઈથી મંગાવવામાં આવ્યો હતો તે પણ લાગી ચૂક્યો છે. સી પ્લેનનો જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તે પરથી ઉડાન ભરવા માટે આંબેડકર બ્રિજ અને જમાલપુર બ્રિજ વચ્ચે વચ્ચે સૌથી વધુ અંતર છે, ત્યાં નદીના પાણી પર રન-વે તૈયાર થઇ ચૂક્યો છે. તે માટેના માર્કર પણ નદીમાં મૂકી દેવામાં આવ્યાં છે જેથી પાયલટને સી-પ્લેનના ઉતરાણમાં સરળતા રહે.

આ ઉપરાંત એરોડ્રામ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. સી-પ્લેન માટે જરૂરી એવું પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, એટલે રિવરફ્રન્ટ ઉપર ખૂબ જ સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. જો કેવડીયાની વાત કરીએ તો સરદાર સરોવર ડેમના તળાવ નંબર ત્રણ મા સી-પ્લેનને ઉતારવાની કરવાની યોજના છે. ત્યારે ત્યાંથી મગરોને ખસેડી દેવાયાં છે.

પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદઘાટન કરી ત્યાંથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે
કોરોના વાઇરસનો સંક્રમણ કાળ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જવાના છે, ત્યાં સી-પ્લેનની કામગીરી સાથે સંકળાયેલા તેમજ સુરક્ષા કર્મીઓ સહિત 18 હજાર લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે માટે 5000 જેટલી કોરોના ટેસ્ટીંગ કીટ પણ નર્મદા મોકલી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સી- પ્લેનના રન-વેના આસપાસના બ્રિજને કલર કામ કરીને રોશનીથી શણગારી દીધાં છે.પરંતુ હવે સી-પ્લેનના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગને લઈને પ્રશ્ન સર્જાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જ્યાં એરોડ્રામ બની રહ્યું છે, તેની નીચેથી ડ્રેનેજ અને પાણીની લાઈન પસાર થાય છે. તેથી તેની પર વધુ વજન મૂકી શકાય તેમ નથી. વળી તે જગ્યાએ કોર્પોરેશને ધાર્મિક વિધિ માટેનો ઘાટ બનાવ્યો છે. ત્યારે એરોડ્રામ માટે નવી જમીન ફાળવવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

અમદાવાદઃ કેનેડાથી મંગાવવામાં આવેલી ફ્લોટિંગ જેટી તેના નિયત સ્થાને લાગી ચૂકી છે. જેટી સુધી જવાનો બ્રિજ પણ યુએઈથી મંગાવવામાં આવ્યો હતો તે પણ લાગી ચૂક્યો છે. સી પ્લેનનો જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તે પરથી ઉડાન ભરવા માટે આંબેડકર બ્રિજ અને જમાલપુર બ્રિજ વચ્ચે વચ્ચે સૌથી વધુ અંતર છે, ત્યાં નદીના પાણી પર રન-વે તૈયાર થઇ ચૂક્યો છે. તે માટેના માર્કર પણ નદીમાં મૂકી દેવામાં આવ્યાં છે જેથી પાયલટને સી-પ્લેનના ઉતરાણમાં સરળતા રહે.

આ ઉપરાંત એરોડ્રામ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. સી-પ્લેન માટે જરૂરી એવું પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, એટલે રિવરફ્રન્ટ ઉપર ખૂબ જ સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. જો કેવડીયાની વાત કરીએ તો સરદાર સરોવર ડેમના તળાવ નંબર ત્રણ મા સી-પ્લેનને ઉતારવાની કરવાની યોજના છે. ત્યારે ત્યાંથી મગરોને ખસેડી દેવાયાં છે.

પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદઘાટન કરી ત્યાંથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે
કોરોના વાઇરસનો સંક્રમણ કાળ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જવાના છે, ત્યાં સી-પ્લેનની કામગીરી સાથે સંકળાયેલા તેમજ સુરક્ષા કર્મીઓ સહિત 18 હજાર લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે માટે 5000 જેટલી કોરોના ટેસ્ટીંગ કીટ પણ નર્મદા મોકલી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સી- પ્લેનના રન-વેના આસપાસના બ્રિજને કલર કામ કરીને રોશનીથી શણગારી દીધાં છે.પરંતુ હવે સી-પ્લેનના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગને લઈને પ્રશ્ન સર્જાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જ્યાં એરોડ્રામ બની રહ્યું છે, તેની નીચેથી ડ્રેનેજ અને પાણીની લાઈન પસાર થાય છે. તેથી તેની પર વધુ વજન મૂકી શકાય તેમ નથી. વળી તે જગ્યાએ કોર્પોરેશને ધાર્મિક વિધિ માટેનો ઘાટ બનાવ્યો છે. ત્યારે એરોડ્રામ માટે નવી જમીન ફાળવવામાં આવે તેવી શક્યતા રહેલી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.