ETV Bharat / city

તાજીયા જૂલુસ અને દશામાની મૂર્તિના વિસર્જનને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

author img

By

Published : Aug 12, 2021, 6:18 PM IST

અમદાવાદ પોલીસ દ્વારા દશામા વ્રત અને તાજીયાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે તહેવારની ઉજવણી કરવાની રહેશે. ઉપરાંત, દશામાની મૂર્તિઓનું વિસર્જન પોતાના ઘરમાં જ કરવાનું રહેશે. જ્યારે બીજી બાજુ મુસ્લિમ સમુદાયના લોકોને તાજીયાની ઉજવણી પોતાના ધર્મસ્થાન પર મૂકીને કરવી. જે લોકો આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ
અમદાવાદ

  • તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી પર અને જૂલુસ પર પાબંધી
  • દશામાની મૂર્તિના નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો
  • મુસ્લિમ સમુદાયના લોકોને તાજીયાની ઉજવણી પોતાના ધર્મસ્થાન પર મૂકીને કરવી

અમદાવાદ: કોરોના મહામારીને લઈને તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી અને જૂલુસ પર પાબંધી મૂકવામાં આવી છે. ત્યારે આ વખતે તાજીયા, ગણેશચતુર્થી અને દશામાના તહેવાર પર પણ પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. દશામાની મૂર્તિના નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

તાજીયા જૂલુસ અને દશામાની મૂર્તિના વિસર્જનને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

તાજીયા કમિટીના સહયોગથી લેવાયો નિર્ણય

અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ મોહરમ તાજીયા કમિટી અને પોલીસ બેઠક મળી હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ આ વર્ષે 19 ઓગસ્ટના મહોરમના દિવસે તાજીયાનું જૂલુસ નહિ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘર અથવા મેદાનમાં તાજીયાની વિધિ કરી શકે છે, પરંતુ તેના જૂલુસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજીયાના જૂલુસમાં મોટી સંખ્યા લોકો જોડાતા હોય છે, જેના કારણે કોરોના વધવાની શક્યતા જોવાઈ રહી છે. તેના કારણે મોહરમ તાજીયા કમિટી પ્રમુખ પરવેઝ મોમીન અને ક્રાઇમ બ્રાન્ચ JCP પ્રેમ વીરસિંહ, સેક્ટર -1 JCP આર.વી.અન્સારી અને તમામ ઝોનના DCP સાથે બેઠક યોજીને નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- અમદાવાદમાં ગણેશ પંડાલ અને તાજીયા જુલૂસ પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશ્નરનું જાહેરનામું

નિયમનું ઉલ્લંઘન થતા કરાશે કાયદેસરની કાર્યવાહી

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે અનેક તહેવારો પર પ્રતિબંધ મુકવામા આવી રહ્યો છે. એક જાહેરનામું અમદાવાદ પોલીસ બહાર પાડ્યું છે.કે શહેરના નાગરિકોએ નદી કે તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દર વખતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આ વખતે કરવામાં આવશે નહીં.

  • તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી પર અને જૂલુસ પર પાબંધી
  • દશામાની મૂર્તિના નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો
  • મુસ્લિમ સમુદાયના લોકોને તાજીયાની ઉજવણી પોતાના ધર્મસ્થાન પર મૂકીને કરવી

અમદાવાદ: કોરોના મહામારીને લઈને તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી અને જૂલુસ પર પાબંધી મૂકવામાં આવી છે. ત્યારે આ વખતે તાજીયા, ગણેશચતુર્થી અને દશામાના તહેવાર પર પણ પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. દશામાની મૂર્તિના નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

તાજીયા જૂલુસ અને દશામાની મૂર્તિના વિસર્જનને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

તાજીયા કમિટીના સહયોગથી લેવાયો નિર્ણય

અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ મોહરમ તાજીયા કમિટી અને પોલીસ બેઠક મળી હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ આ વર્ષે 19 ઓગસ્ટના મહોરમના દિવસે તાજીયાનું જૂલુસ નહિ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘર અથવા મેદાનમાં તાજીયાની વિધિ કરી શકે છે, પરંતુ તેના જૂલુસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજીયાના જૂલુસમાં મોટી સંખ્યા લોકો જોડાતા હોય છે, જેના કારણે કોરોના વધવાની શક્યતા જોવાઈ રહી છે. તેના કારણે મોહરમ તાજીયા કમિટી પ્રમુખ પરવેઝ મોમીન અને ક્રાઇમ બ્રાન્ચ JCP પ્રેમ વીરસિંહ, સેક્ટર -1 JCP આર.વી.અન્સારી અને તમામ ઝોનના DCP સાથે બેઠક યોજીને નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- અમદાવાદમાં ગણેશ પંડાલ અને તાજીયા જુલૂસ પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશ્નરનું જાહેરનામું

નિયમનું ઉલ્લંઘન થતા કરાશે કાયદેસરની કાર્યવાહી

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે અનેક તહેવારો પર પ્રતિબંધ મુકવામા આવી રહ્યો છે. એક જાહેરનામું અમદાવાદ પોલીસ બહાર પાડ્યું છે.કે શહેરના નાગરિકોએ નદી કે તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દર વખતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આ વખતે કરવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.