ETV Bharat / city

અમદાવાદના 42 વર્ષીય બ્રેઇન ડેડ ધર્મેશભાઇ પટેલે અંગદાન થકી 10થી 15 લોકોને આપ્યું નવજીવન

author img

By

Published : Feb 3, 2021, 7:27 PM IST

ભારતીય સંસ્કૃતિમાં દાનનો વિશેષ મહિમા છે. 21મી સદીમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે. ભગવાન માણસને બનાવે છે, પરંતુ જે માણસ પોતાના અંગોનું દાન કરી અન્યને નવજીવન બક્ષે છે, તે વ્યક્તિ પણ ભગવાનથી કમ નથી. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં ખાનગી હોસ્પિટલમાં બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતું.

અંગદાન કરનાર ધર્મેશ પટેલ
અંગદાન કરનાર ધર્મેશ પટેલ
  • 42 વર્ષીય બ્રેઇન ડેડ ધર્મેશભાઇ પટેલના અંગોનું થયું દાન
  • 10થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો
  • 40 દિવસના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ થયુ
    બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ
    બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO (State Organ Tissue And Transplant Organization)ની ટીમ એમ્બ્યુલન્સ નરોડાની એક ખાનગી હોસ્પિટલમાં લઇને પહોંચી. નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને સંપર્ક કર્યો હતો. સંપર્ક કરતા ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી હોસ્પિટલમાં પહોંચીને બ્રેઇન ડેડ ઘર્મેશભાઇ પટેલને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્ય હતા.

બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ
બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ
પાંચ દિવસની સારવાર બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયાઅત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતાં તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. બે કિડની, એક લીવર અને બે આંખોનું દાનઅમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતાં માલૂમ પડયું કે, ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંન્ને આંખોનું દાન કરવું શક્ય છે, જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ધર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓનું કાર્યદક્ષતા સુધરી છે. પરિવારના તમામ સભ્યોએ ભેગા મળીને નિર્ણય કર્યોમૃત ધર્મેશભાઇ પટેલના પરિવારજનો કહે છે કે, ધર્મેશભાઇની જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે, તેઓ અત્યંત ગંભીર અવસ્થામાં હતા. ત્યારે જ અમને લાગ્યું હતું કે, જીવન અને મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યા અમારા ધર્મેશભાઇનું જીવવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. આ સમગ્ર સારવાર દરમિયાન જ અમારા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતા સુધારવાનો વિચાર આવ્યો હતો. ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતાં અમારા પરિવારના બધા સભ્યોએ ભેગા મળીને અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારે હિંમત દર્શાવીને સમાજ ઉપયોગી કાર્ય કર્યુંધર્મેશભાઇના પરિવારજનો કહે છે કે, જીવન એક વરદાન છે અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવું એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજે કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે ત્યારે અમારા સમગ્ર પરિવારે હિંમતપૂર્વક સમાજ ઉપયોગી બનવા માટે જ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો છે. અમારો સમાજને એક જ સંદેશ છે કે, અન્યોના જીવ બચાવવાના આ યજ્ઞમાં તમામે સહભાગી બનવું જોઇએ. અંગદાનના મહાયજ્ઞમાં જોડાવા અપીલઅમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્ય ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ દર્દીનું અંગદાન થયુ તેવી આ પહેલી ઘટના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા છે. જેના થકી 10થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો છે. ધર્મેશભાઇ પટેલના પરિવારજનોએ અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય કરીને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે. અમારા સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ ખંતપૂર્વક બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને મહત્તમ લોકો આ અંગદાનના મહાયજ્ઞમાં જોડાય તે માટેના પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે જ ખૂબ જ ટૂંકા ગાળામાં અમને આ જવલંત સફળતા મળી છે.

  • 42 વર્ષીય બ્રેઇન ડેડ ધર્મેશભાઇ પટેલના અંગોનું થયું દાન
  • 10થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો
  • 40 દિવસના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ થયુ
    બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ
    બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO (State Organ Tissue And Transplant Organization)ની ટીમ એમ્બ્યુલન્સ નરોડાની એક ખાનગી હોસ્પિટલમાં લઇને પહોંચી. નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને સંપર્ક કર્યો હતો. સંપર્ક કરતા ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી હોસ્પિટલમાં પહોંચીને બ્રેઇન ડેડ ઘર્મેશભાઇ પટેલને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્ય હતા.

બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ
બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું તેના પરિવાર દ્બારા સિવિલ હોસ્પિટલમાં અંગદાન કર્યું હતુ
પાંચ દિવસની સારવાર બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયાઅત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતાં તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. બે કિડની, એક લીવર અને બે આંખોનું દાનઅમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતાં માલૂમ પડયું કે, ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંન્ને આંખોનું દાન કરવું શક્ય છે, જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ધર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓનું કાર્યદક્ષતા સુધરી છે. પરિવારના તમામ સભ્યોએ ભેગા મળીને નિર્ણય કર્યોમૃત ધર્મેશભાઇ પટેલના પરિવારજનો કહે છે કે, ધર્મેશભાઇની જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે, તેઓ અત્યંત ગંભીર અવસ્થામાં હતા. ત્યારે જ અમને લાગ્યું હતું કે, જીવન અને મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યા અમારા ધર્મેશભાઇનું જીવવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. આ સમગ્ર સારવાર દરમિયાન જ અમારા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતા સુધારવાનો વિચાર આવ્યો હતો. ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતાં અમારા પરિવારના બધા સભ્યોએ ભેગા મળીને અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારે હિંમત દર્શાવીને સમાજ ઉપયોગી કાર્ય કર્યુંધર્મેશભાઇના પરિવારજનો કહે છે કે, જીવન એક વરદાન છે અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવું એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજે કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે ત્યારે અમારા સમગ્ર પરિવારે હિંમતપૂર્વક સમાજ ઉપયોગી બનવા માટે જ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો છે. અમારો સમાજને એક જ સંદેશ છે કે, અન્યોના જીવ બચાવવાના આ યજ્ઞમાં તમામે સહભાગી બનવું જોઇએ. અંગદાનના મહાયજ્ઞમાં જોડાવા અપીલઅમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્ય ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ દર્દીનું અંગદાન થયુ તેવી આ પહેલી ઘટના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા છે. જેના થકી 10થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો છે. ધર્મેશભાઇ પટેલના પરિવારજનોએ અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય કરીને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે. અમારા સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ ખંતપૂર્વક બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને મહત્તમ લોકો આ અંગદાનના મહાયજ્ઞમાં જોડાય તે માટેના પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે જ ખૂબ જ ટૂંકા ગાળામાં અમને આ જવલંત સફળતા મળી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.