ETV Bharat / city

અમદાવાદમાં નર્સરીના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાના બહાને ફી વસુલવામાં આવતા NSUIનો વિરોધ

author img

By

Published : Aug 10, 2020, 2:57 PM IST

કોરોના સંક્રમણના વધેલા કેસને લઈ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેથી રાજ્યની તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ઓનલાઈન શિક્ષણ આપવાના બહાને ફી વસુલવામાં આવતા NSUIએ વિરોધ નોંધાવ્યો હતો.

NSUI
અમદાવાદ

અમદાવાદ શાળાઓ બંધ હોવ છતાં ઘણી શાળાઓ દ્વારા ફી વસુલવામાં આવે છે. ત્યારે નાના બાળકોને ભણાવતી શાળા દ્વારા પણ ઓનલાઈન ભણાવવામાં આવે છે તેમ કહીને 15000 રૂપિયા ફી વસુલવામાં આવતા NSUI દ્વારા શાળા આગળ જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ :શાહીબાગમાં આવેલી ધ ટ્રી હાઉસ નામની શાળામાં જુનિયર કે.જી.અને સિનિયર કે.જીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણના નામે ફી લીધા બાદ શિક્ષણ મળતું નથી. તેવો NSUI એ આક્ષેપ કર્યો છે.કોરોના વાયરસની મહામારીમાં લોકોના નોકરી ધંધા ઠપ થઈ ગયા બાદ વાલીઓ પોતાની ફી પરત લેવા જાય ત્યારે ખરાબ વર્તન કરવામાં આવે છે.15,000 રૂપિયા ફી નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવતા NSUI દ્વારા શાળા આગળ જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ આપવાના બહાને ફી વસુલવામાં આવતા NSUIનો વિરોધ

શાળાના સંચાલક દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. DEO કચેરીથી પણ કોઈ જવાબ મળતો નથી તેવું NSUI દ્વારા જાણવા મળ્યું હતું.હાલ તો પોલીસે NSUI તરફથી આવેદન પત્ર સ્વીકાર્યું હતું. આ અંગે સંચાલકને બોલાવી રજુઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી.

અમદાવાદ શાળાઓ બંધ હોવ છતાં ઘણી શાળાઓ દ્વારા ફી વસુલવામાં આવે છે. ત્યારે નાના બાળકોને ભણાવતી શાળા દ્વારા પણ ઓનલાઈન ભણાવવામાં આવે છે તેમ કહીને 15000 રૂપિયા ફી વસુલવામાં આવતા NSUI દ્વારા શાળા આગળ જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ :શાહીબાગમાં આવેલી ધ ટ્રી હાઉસ નામની શાળામાં જુનિયર કે.જી.અને સિનિયર કે.જીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણના નામે ફી લીધા બાદ શિક્ષણ મળતું નથી. તેવો NSUI એ આક્ષેપ કર્યો છે.કોરોના વાયરસની મહામારીમાં લોકોના નોકરી ધંધા ઠપ થઈ ગયા બાદ વાલીઓ પોતાની ફી પરત લેવા જાય ત્યારે ખરાબ વર્તન કરવામાં આવે છે.15,000 રૂપિયા ફી નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવતા NSUI દ્વારા શાળા આગળ જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ આપવાના બહાને ફી વસુલવામાં આવતા NSUIનો વિરોધ

શાળાના સંચાલક દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. DEO કચેરીથી પણ કોઈ જવાબ મળતો નથી તેવું NSUI દ્વારા જાણવા મળ્યું હતું.હાલ તો પોલીસે NSUI તરફથી આવેદન પત્ર સ્વીકાર્યું હતું. આ અંગે સંચાલકને બોલાવી રજુઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.