ETV Bharat / city

કોરોનાઃ લોકોની માનસિક સ્થિતિ પર કેવી અસર પડી છે જાણો સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી પાસે - Psychologist Dr. Prashant Bhimani

કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે તેવામાં દુનિયાના અનેક શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. અને લોકો ઘરેથી જ કામ કરી રહ્યાં છે. જોકે અનલોક પણ ઘણા દેશોમાં લાગુ કરવામાં આવ્યું છે તેમ છતાં હજી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે અને લોકડાઉનના લીધે તેમની માનસિક સ્થિતિ પર વધુ અસર થઈ છે.

જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
author img

By

Published : Sep 11, 2020, 5:27 PM IST

અમદાવાદઃ સામાન્ય રીતે લોકો માનસિક બીમારીની અવગણના કરતા હોય છે પરંતુ કોરોના વાઈરસને કારણે આ બીમારીમાં વધારો જોવા મળ્યો છે. જેને કોઈપણ ભોગે નજરઅંદાજ નહીં કરી શકાય. માનસિક આરોગ્ય અન્ય કોઈ ચિંતાને કારણે બગડતું હતુ પરંતુ કોરોના વાઈરસને કારણે તેની વ્યાખ્યા બદલાય ગઈ છે અને હવે ક્વોરન્ટાઈન, આઈસોલેશન અને લોકડાઉનથી લોકો માનસિક તણાવ અનુભવી રહ્યાં છે.વ્યક્તિ એકબીજા સાથે મળીને વાતચીત કર્યા વગર રહી શક્તો નથી એટલા માટે લોકડાઉનથી તેઓમાં ચિંતા, તણાવ, ડર અને ડિપ્રેશન વધી રહ્યું છે. પોસ્ટ કોવિડ બાદ ઘરેલુ હિંસાના કેસ પણ વધી શકે છે. લોકડાઉનમાં માનસિક તણાવની અસર છ ગ્રુપમાં જોવા મળી શકે છે.

જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જેમાં સૌપ્રથમ વરિષ્ઠ નાગરિકો અર્થાચ વૃદ્ધોનો સમાવેશ થાય છે. તેઓ એકલા રહેતાં હોવાથી લોકડાઉન તેમના માટે કષ્ટદાયક સાબિત થઈ રહ્યું છે. બીજા બાળકો છે જે ઘરમાં રહીને કંટાળી ગયાં છે. ત્યારબાદ ડિસએબલ ગ્રુપ, પ્રેગનન્ટ મહિલાઓ, મજૂરો અને કોરોના વોરિયર્સ હેલ્થ વર્કસનો સમાવેશ થાય છે.
જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જે લોકો હોલિડે માટે રાહ જોતાં હોય છે તેમને ઘરમાં પૂરી દેવાયાં છે, તેમને મગજમાં હવે વાયરસથી બીમાર થઈને મરવાનો ડર ભરાઈ ગયો છે. અમદાવાદના જાણીતાં સાઈકોલોજીસ્ટ ડૉ પ્રશાંત ભીમાણી કહે છે કે, મારી પાસે એવા પણ કેસ આવ્યાં છે, જેમાં શહેરીજનો કોરોના વાયરસ સંપર્કમાં આવવાથી ડરેલાં છે. કેટલાક પેશન્ટમાં OCDનો ભય દેખાઈ રહ્યો છે. તેઓ વારંવાર પોતાના હાથ ધોઈ રહ્યાં છે અને ડરના માર્યા બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે.લાઈફ સ્ટાઈલમાં અચાનક થયેલા ફેરફાર, વાઈરસના ફેલાવાને લઈને સતત મળી રહેલી માહિતીથી યુવાનો અને વૃદ્ધોના મગજ પર ખરાબ અસર પડી રહી છે.

અમદાવાદઃ સામાન્ય રીતે લોકો માનસિક બીમારીની અવગણના કરતા હોય છે પરંતુ કોરોના વાઈરસને કારણે આ બીમારીમાં વધારો જોવા મળ્યો છે. જેને કોઈપણ ભોગે નજરઅંદાજ નહીં કરી શકાય. માનસિક આરોગ્ય અન્ય કોઈ ચિંતાને કારણે બગડતું હતુ પરંતુ કોરોના વાઈરસને કારણે તેની વ્યાખ્યા બદલાય ગઈ છે અને હવે ક્વોરન્ટાઈન, આઈસોલેશન અને લોકડાઉનથી લોકો માનસિક તણાવ અનુભવી રહ્યાં છે.વ્યક્તિ એકબીજા સાથે મળીને વાતચીત કર્યા વગર રહી શક્તો નથી એટલા માટે લોકડાઉનથી તેઓમાં ચિંતા, તણાવ, ડર અને ડિપ્રેશન વધી રહ્યું છે. પોસ્ટ કોવિડ બાદ ઘરેલુ હિંસાના કેસ પણ વધી શકે છે. લોકડાઉનમાં માનસિક તણાવની અસર છ ગ્રુપમાં જોવા મળી શકે છે.

જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જેમાં સૌપ્રથમ વરિષ્ઠ નાગરિકો અર્થાચ વૃદ્ધોનો સમાવેશ થાય છે. તેઓ એકલા રહેતાં હોવાથી લોકડાઉન તેમના માટે કષ્ટદાયક સાબિત થઈ રહ્યું છે. બીજા બાળકો છે જે ઘરમાં રહીને કંટાળી ગયાં છે. ત્યારબાદ ડિસએબલ ગ્રુપ, પ્રેગનન્ટ મહિલાઓ, મજૂરો અને કોરોના વોરિયર્સ હેલ્થ વર્કસનો સમાવેશ થાય છે.
જાણો કેવી રીતે કોરોના વાયરસ લોકોની માનસિક સ્થિતિને અસર કરે છે
જે લોકો હોલિડે માટે રાહ જોતાં હોય છે તેમને ઘરમાં પૂરી દેવાયાં છે, તેમને મગજમાં હવે વાયરસથી બીમાર થઈને મરવાનો ડર ભરાઈ ગયો છે. અમદાવાદના જાણીતાં સાઈકોલોજીસ્ટ ડૉ પ્રશાંત ભીમાણી કહે છે કે, મારી પાસે એવા પણ કેસ આવ્યાં છે, જેમાં શહેરીજનો કોરોના વાયરસ સંપર્કમાં આવવાથી ડરેલાં છે. કેટલાક પેશન્ટમાં OCDનો ભય દેખાઈ રહ્યો છે. તેઓ વારંવાર પોતાના હાથ ધોઈ રહ્યાં છે અને ડરના માર્યા બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે.લાઈફ સ્ટાઈલમાં અચાનક થયેલા ફેરફાર, વાઈરસના ફેલાવાને લઈને સતત મળી રહેલી માહિતીથી યુવાનો અને વૃદ્ધોના મગજ પર ખરાબ અસર પડી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.