ETV Bharat / city

સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યાં છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયાં, તેમાં ગુજરાત ચમક્યું છે. ગુજરાતના એક-બે નહીં, પણ ચાર શહેરો ટોપ-10 સ્વચ્છ શહેરો (Swachh Survekshan 2020) ના લિસ્ટમાં સામેલ થયાં છે.

author img

By

Published : Aug 20, 2020, 4:26 PM IST

સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ  વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક

અમદાવાદઃ સ્વચ્છતાના મામલે ગુજરાત રાજ્યએ હરણફાળ છલાંગ લગાવી છે. જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાને ટોપ-10 લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ટોપ-10 લિસ્ટમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે. અમદાવાદ ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ  વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમા પાંચમો ક્રમ અને ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ અમદાવાદના મેયર બીજલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામને આવકારું છું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રેરક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સ્વચ્છ ભારત મિશન એવોર્ડ-૨૦૨૦ અંતર્ગત ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક તેમ જ ભારત ભરના શહેરોમાં પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે. સૌના મળેલ સાથ સહકાર બદલ અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ તથા શહેરના નગરજનોને આભાર સહ શુભકામનાઓ પાઠવું છું.
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ  વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
કોઈ પણ શહેરના સ્વચ્છતાના માપદંડ માપવા માટે કચરાની શું વ્યવસ્થા છે તે મહત્વની છે. કચરો કેટલો ઉત્પન્ન થાય છે અને કઈ રીતે નિકાલ થાય છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરીમાં ખાસ ધ્યાન રખાય છે. ગાર્બેજમાં નિકાલમાં કેટલું પ્રદૂષણ થાય છે તેના પર ફોકસ કરાયું હતું.
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક

અમદાવાદઃ સ્વચ્છતાના મામલે ગુજરાત રાજ્યએ હરણફાળ છલાંગ લગાવી છે. જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાને ટોપ-10 લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ટોપ-10 લિસ્ટમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે. અમદાવાદ ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ  વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમા પાંચમો ક્રમ અને ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ અમદાવાદના મેયર બીજલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામને આવકારું છું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રેરક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સ્વચ્છ ભારત મિશન એવોર્ડ-૨૦૨૦ અંતર્ગત ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક તેમ જ ભારત ભરના શહેરોમાં પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે. સૌના મળેલ સાથ સહકાર બદલ અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ તથા શહેરના નગરજનોને આભાર સહ શુભકામનાઓ પાઠવું છું.
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ  વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
કોઈ પણ શહેરના સ્વચ્છતાના માપદંડ માપવા માટે કચરાની શું વ્યવસ્થા છે તે મહત્વની છે. કચરો કેટલો ઉત્પન્ન થાય છે અને કઈ રીતે નિકાલ થાય છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરીમાં ખાસ ધ્યાન રખાય છે. ગાર્બેજમાં નિકાલમાં કેટલું પ્રદૂષણ થાય છે તેના પર ફોકસ કરાયું હતું.
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.