ETV Bharat / city

અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા

author img

By

Published : Apr 28, 2021, 11:48 AM IST

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદમાં હાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે,લોકો ઓક્સિજન અને ઇન્જેક્શન માટે પણ વલખા મારી રહ્યા છે. ત્યારે શહેરમાં સતત માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે.

અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા
અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા
  • માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો
  • અમદાવાદ શહેરમાં કુલ 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મુકાયા
  • 30 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ અપાઇ

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મુકવામાં આવ્યા હતા. જેમાં બુધવારે વધુ 16 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મૂકવામાં આવ્યા છે. 30 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ અમલમાં છે.

અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા
અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા

આ પણ વાંચોઃ નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો

બોપલ અને ચાંદલોડીયા વિસ્તારના લોકોનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદમાં નવા ઉમેરાયેલા વિસ્તારની જો વાત કરવામાં આવે તો, શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસરમાં રહેતા 480 ઘરના 1200 લોકો તેમજ ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના 360 ઘરના 200 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

  • માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો
  • અમદાવાદ શહેરમાં કુલ 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મુકાયા
  • 30 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ અપાઇ

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મુકવામાં આવ્યા હતા. જેમાં બુધવારે વધુ 16 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મૂકવામાં આવ્યા છે. 30 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ અમલમાં છે.

અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા
અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા

આ પણ વાંચોઃ નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો

બોપલ અને ચાંદલોડીયા વિસ્તારના લોકોનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદમાં નવા ઉમેરાયેલા વિસ્તારની જો વાત કરવામાં આવે તો, શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસરમાં રહેતા 480 ઘરના 1200 લોકો તેમજ ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના 360 ઘરના 200 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.