ETV Bharat / city

બુલેટ ટ્રેન માટે લોકોને વિસ્થાપિત કરવા મામલે સુનાવણી, હાઈકોર્ટમાં સરકારે આપ્યો જવાબ

author img

By

Published : Oct 26, 2021, 9:19 PM IST

બુલેટ ટ્રેન (Bullet Train) મામલે સાબરમતી (Sabarmati)ના લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે કરેલી અરજીના મામલે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં આજે સુનાવણી થઈ. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી. કોર્ટ આ મામલે વધુ સુનાવણી 18 નવેમ્બરે હાથ ધરી શકે છે.

બુલેટ ટ્રેન માટે લોકોને વિસ્થાપિત કરવા મામલે સુનાવણી
બુલેટ ટ્રેન માટે લોકોને વિસ્થાપિત કરવા મામલે સુનાવણી
  • જેપીની ચાલીમાં લોકોને વિસ્થાપિત કરવાનો મામલો
  • ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
  • ઘરવિહોણા લોકો માટે એક પોલિસી હોવી જોઈએ: કોર્ટ

અમદાવાદ: બુલેટ ટ્રેન (Bullet Train)ના ડેવલપમેન્ટ માટે સાબરમતી રેલવે (Sabarmati Railway) વિસ્તારમાં આવેલી જેપીની ચાલીમાં લોકોને વિસ્થાપિત (In the case of displacing people) કરવા મામલે આજે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ અંતર્ગત આવતા નથી, જેથી જમીન માટે ક્લેમ કરી શકે નહીં, કારણકે તેઓ જમીનના મલિક નથી.

તમામ ઘરવિહોણા લોકો માટે એક ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ: કોર્ટે

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અરજદારની રજૂઆતો સાંભળ્યા બાદ રાજ્ય સરકારને કહ્યું હતું કે, તમામ ઘરવિહોણા લોકો માટે એક પોલિસી હોવી જોઈએ. આ સામે રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે વર્ટિકલ બિલ્ડિંગમાં આવા લોકોને રાખવા માટેની ખૂબ સરસ પોલિસી છે, પરંતુ R&R (રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ) પોલિસી અંતર્ગત માત્ર એવા લોકોને રહેણાંકની સુવિધા આપવામાં આવે છે, જેમની પાસેથી પ્રોજેક્ટ માટે જમીન લેવામાં આવી હોય અથવા તેઓ પ્રોજેક્ટથી કોઈ રીતે અસરગ્રસ્ત હોય, પણ જેપીની ચાલીના લોકો રેલવેની જમીન ઉપર દબાણકર્તા છે, તેથી તેઓ આ પોલિસી અંતર્ગત આવતા નથી.

32 વર્ષથી અહીં લોકો રહી રહ્યા છે

સરકારે જણાવ્યું કે, આ લોકો પાસે જમીનના કોઈ માલિકી હક નથી. બુલેટ ટ્રેન માટે આ જમીન જોઈતી હતી, રેલવેની જમીન હતી એટલે તેમને આપવામાં આવી. કોર્ટે કહ્યું કે, આ લોકો અહીં 1990થી રહી રહ્યા છે. એક સમાન નોટિફિકેશન સામે કઈ રીતે શક્ય બને કે 50 મીટર દૂર સ્થાનિકને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને અન્ય લોકોને સુવિધા આપવામાં આવે. 32 વર્ષોથી અહીં લોકો રહી રહ્યા છે. તેથી તેમને વ્યવસ્થા આપવામાં આવે છે. આમ કોર્ટે આજે બન્ને પક્ષની રજુઆત સાંભળી હતી. કોર્ટ આ મામલે વધુ સુનાવણી 18 નવેમ્બરે હાથ ધરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર બેલડી મહેશ-નરેશ કનોડિયાને મળશે દેશનો સૌપ્રથમ વખત મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીને લઇને ખરીદીમાં તેજી, વેપારીઓમાં ખુશીની લાગણી પ્રસરી

  • જેપીની ચાલીમાં લોકોને વિસ્થાપિત કરવાનો મામલો
  • ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
  • ઘરવિહોણા લોકો માટે એક પોલિસી હોવી જોઈએ: કોર્ટ

અમદાવાદ: બુલેટ ટ્રેન (Bullet Train)ના ડેવલપમેન્ટ માટે સાબરમતી રેલવે (Sabarmati Railway) વિસ્તારમાં આવેલી જેપીની ચાલીમાં લોકોને વિસ્થાપિત (In the case of displacing people) કરવા મામલે આજે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ અંતર્ગત આવતા નથી, જેથી જમીન માટે ક્લેમ કરી શકે નહીં, કારણકે તેઓ જમીનના મલિક નથી.

તમામ ઘરવિહોણા લોકો માટે એક ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ: કોર્ટે

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અરજદારની રજૂઆતો સાંભળ્યા બાદ રાજ્ય સરકારને કહ્યું હતું કે, તમામ ઘરવિહોણા લોકો માટે એક પોલિસી હોવી જોઈએ. આ સામે રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે વર્ટિકલ બિલ્ડિંગમાં આવા લોકોને રાખવા માટેની ખૂબ સરસ પોલિસી છે, પરંતુ R&R (રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ) પોલિસી અંતર્ગત માત્ર એવા લોકોને રહેણાંકની સુવિધા આપવામાં આવે છે, જેમની પાસેથી પ્રોજેક્ટ માટે જમીન લેવામાં આવી હોય અથવા તેઓ પ્રોજેક્ટથી કોઈ રીતે અસરગ્રસ્ત હોય, પણ જેપીની ચાલીના લોકો રેલવેની જમીન ઉપર દબાણકર્તા છે, તેથી તેઓ આ પોલિસી અંતર્ગત આવતા નથી.

32 વર્ષથી અહીં લોકો રહી રહ્યા છે

સરકારે જણાવ્યું કે, આ લોકો પાસે જમીનના કોઈ માલિકી હક નથી. બુલેટ ટ્રેન માટે આ જમીન જોઈતી હતી, રેલવેની જમીન હતી એટલે તેમને આપવામાં આવી. કોર્ટે કહ્યું કે, આ લોકો અહીં 1990થી રહી રહ્યા છે. એક સમાન નોટિફિકેશન સામે કઈ રીતે શક્ય બને કે 50 મીટર દૂર સ્થાનિકને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને અન્ય લોકોને સુવિધા આપવામાં આવે. 32 વર્ષોથી અહીં લોકો રહી રહ્યા છે. તેથી તેમને વ્યવસ્થા આપવામાં આવે છે. આમ કોર્ટે આજે બન્ને પક્ષની રજુઆત સાંભળી હતી. કોર્ટ આ મામલે વધુ સુનાવણી 18 નવેમ્બરે હાથ ધરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર બેલડી મહેશ-નરેશ કનોડિયાને મળશે દેશનો સૌપ્રથમ વખત મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીને લઇને ખરીદીમાં તેજી, વેપારીઓમાં ખુશીની લાગણી પ્રસરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.