- રિક્ષાચાલકો કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં જઈ શકશે
- ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા હાઈકોર્ટનો નિર્દેશ
- 10 મીનીટ બાદ પાર્કિગ માટે ચાર્જ ચૂકવવો પડશે
રિક્ષા ચાલક યુનિયને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રિક્ષાચાલકોને કાળુપુર રેલવે સ્ટેશનમાં પ્રવેશવા મંજૂરી આપી દીધી છે. જેના પગલે રિક્ષાચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પાર્કિંગ પોલીસીનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આ મંજૂરી આપી છે. રિક્ષા ચાલક યુનિયને ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી અંગે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલકોને પહેલેથી જ સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી હતી. રેલવે સ્ટેશન પરિસરમાં 10 મીનીટ સુધી રિક્ષા ફ્રીમાં પાર્ક કરી શકાશે, ત્યાર બાદ જો કોઈ રિક્ષા ચાલક પોતાની રિક્ષા અંદર પાર્ક કરશે તો તેને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે અથવા તો તેમને ફરીથી એન્ટ્રી લેવી પડશે.