ETV Bharat / city

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું - gujarat breaking news live 04 Sep 2022 today gujarat news update live

gujarat breaking news
gujarat breaking news
author img

By

Published : Sep 4, 2022, 6:58 AM IST

Updated : Sep 4, 2022, 3:07 PM IST

15:06 September 04

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

રાજકીય ક્ષેત્રે ભંગાણનો માર સહન કરી રહેલી કોંગ્રેસમાં વધુ એક તિરાડ પડી છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દેતા રાજકીય ચહલપહલ વધી ગઈ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહે રાજીનામું આપી દીધું છે. એક તરફ કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેવાના છે તે પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ કચેરીમાં નહેરૂ, સોનિયા અને રાજીવ ગાંધીના ફોટો જોવા મળે છે. દેશની આઝાદીમાં આમના સિવાય કેટલાય કૉંગ્રેસ નેતા હાથ હતો.

14:50 September 04

વડોદરાઃ ગુમ થયેલી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરાઃ ગુમ થયેલી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરામાં શનિવારથી ગુમ વ્યક્તિનો તરસાલી ચોકડી પાસેથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. વડોદરા પાસેના મકરપુરા હાઇવે પર અજાણ્યા ઇસમનો શંકાસ્પદ હાલતમાં મૃતહેદ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરીને વ્યક્તિની ઓળખ કરવા માટે પગલાં લીધા હતા. હાલ મૃતકના પરિજનો દ્વારા તેની ઓળખ કરી દેવામાં આવી છે. જોકે, પરિવારજનો એના મૃતદેહને સ્વીકારવાની ના પડતા મામલો ગરમાયો હતો. પોલીસ આ અંતે તપાસ કરી રહી છે.

14:17 September 04

આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાયા

સુરત : જિલ્લામાં તોડ જોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-2 સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્યના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન જોવા મળી રહ્યુ છે. વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને સતત તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

14:14 September 04

રસ્તાપરના ભુવાઓ ન પુરાતા ધારાસભ્યએ હંગામો મચાવ્યો

પાટણ : કુલડીવાસમાં પડેલ ભુવો ન પુરાતા ધારાસભ્યએ હંગામો મચાવ્યો હતો. છેલ્લા 18 દિવસથી વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે મોડી રાત્રે રેલી યોજી ચીફ ઓફિસરના ઘરે પહોંચ્યા હતા. તેમના ઘર આગળ ધરણા ઉપર ઉતરી રામધૂન બોલાવી હતી. કલેકટરની સૂચનાથી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મધ્યરાત્રીએ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવામાં આવી હતી. ધારાસભ્યની પ્રજાલક્ષી કામગીરીની લોકોએ વખાણી હતી.

14:10 September 04

દેવુસિંહ ચૌહાણે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું

વડોદરા : કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ ગણેશ દર્શન માટે આવ્યા છે. તેમને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકી અર્બન નક્લવાદી છે. ગુજરાતની જનતા પરિપકવ અને સમજદાર છે, તેનાથી આપ અજાણ છે. મેઘા પાટકર અને અરવિંદ કેજરીવાલે ગુજરાતના વિકાસમાં રોડા નાખ્યા છે.

12:23 September 04

જિલ્લામાં વિવિધ મેળાનો શુપ્રારંભ

સાબરકાઠાં : આજથી જિલ્લામાં વિવિધ મેળાનો શુપ્રારંભ થવા જઇ રહ્યો છે. હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે ઝાલા બાવજીના મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આવતીકાલથી જાદરમા ત્રણ દિવસનો મેળો યોજાશે. ખેડબ્રહ્માના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઝાલા બાવજીના મેળામાં લોકો બાધા માનતા માટે આવતા હોય છે. આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે.

12:20 September 04

ભારતીય કિસાન સંઘ દ્વારા નેશનલ હાઇવે 8 પર ચક્કાજામ

સાબરકાંઠા : ભારતીય કિસાન સંઘ દ્વારા નેશનલ હાઇવે 8 પર ચક્કાજામ કર્યો છે. 400થી વધુ કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે. સરકાર સામે વિવિધ માગણીઓને લઇને આ પગલું ભર્યું છે. હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કિસાન સંઘની માગણીઓ પૂરી ના થતા હવે વિરોધ પ્રદર્શન તેમજ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે.

12:17 September 04

સિવિલ હોસ્પિટલ ખાતે આજથી આયુર્વેદિક ઓપીડીનો પ્રારંભ

મહેસાણા વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજથી આયુર્વેદિક ઓપીડીનો પ્રારંભ શરુ કરાયો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે આયુર્વેદિક ઓપીડીનો ઈ શુભારંભ કરાયો હતો. ક્યાં દર્દીને એલોપેથીક અને આયુર્વેદિક સારવારની જરૂર છે તેં દર્દીને પરિચય થાય તેનું આયોજન કરવા સૂચન કરાયું છે. પ્રારંભ સમયેજ 18 દર્દીઓએ આયુર્વેદિક ચિકિત્સાનો લાભ મેળવ્યો હતો.

12:12 September 04

લગ્ન નોંધણી કરતા અધિકારીઓએ લગ્ન નોંધણીમાં કરી ચાલાકી

જામનગર : જિલ્લામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે આવી રહ્યો છે. લગ્ન નોંધણી કરતા અધિકારીઓએ લગ્ન નોંધણીમાં કરી ચાલાકી હતી, જેમાં તારીખ અને મહિનાનો ઉલ્લેખ લગ્નનોંધણીપત્રમાં ન કર્યો. આ બાબતને લઇને હિન્દૂ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

10:54 September 04

તાલુકા પંચાયતના કોગ્રેસના સદસ્યો ભાજપમાં જોડાશે

પોરબંદર : આજે માળીયા હાટીનામાં પરસોતમ રૂપાલાની મુલાકાત દરમિયાન બે તાલુકા પંચાયતના કોગ્રેસના સદસ્યો પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.

09:36 September 04

કિશન પટેલ આજે ભાજપમાં જોડાશે

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સેવની સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ કામરેજ તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિશન પટેલ આજે ભાજપમાં જોડાશે. મંત્રી મુકેશ પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે. કિશન પટેલ છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા છે.

07:56 September 04

અમિતશાહ અમદાવાદીની મુલાકાતે

વિધાનસભા ચૂંટણી 2022ને લઇને અમિતશાહ આજે અમદાવાદની મૂલાકાતે આવેલ છે. વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.

06:54 September 04

પારસી યુવાન દ્વારા ગણેશ સ્થાપના

નવસારીમાં પારસી યુવાન દ્વારા ગણેશ સ્થાપના કરી પોતાની અસલ ઓળખ સાથે બાપ્પાની પૂજા અર્ચના કરી રહ્યા છે.

15:06 September 04

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

રાજકીય ક્ષેત્રે ભંગાણનો માર સહન કરી રહેલી કોંગ્રેસમાં વધુ એક તિરાડ પડી છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દેતા રાજકીય ચહલપહલ વધી ગઈ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહે રાજીનામું આપી દીધું છે. એક તરફ કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેવાના છે તે પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ કચેરીમાં નહેરૂ, સોનિયા અને રાજીવ ગાંધીના ફોટો જોવા મળે છે. દેશની આઝાદીમાં આમના સિવાય કેટલાય કૉંગ્રેસ નેતા હાથ હતો.

14:50 September 04

વડોદરાઃ ગુમ થયેલી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરાઃ ગુમ થયેલી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરામાં શનિવારથી ગુમ વ્યક્તિનો તરસાલી ચોકડી પાસેથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. વડોદરા પાસેના મકરપુરા હાઇવે પર અજાણ્યા ઇસમનો શંકાસ્પદ હાલતમાં મૃતહેદ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરીને વ્યક્તિની ઓળખ કરવા માટે પગલાં લીધા હતા. હાલ મૃતકના પરિજનો દ્વારા તેની ઓળખ કરી દેવામાં આવી છે. જોકે, પરિવારજનો એના મૃતદેહને સ્વીકારવાની ના પડતા મામલો ગરમાયો હતો. પોલીસ આ અંતે તપાસ કરી રહી છે.

14:17 September 04

આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાયા

સુરત : જિલ્લામાં તોડ જોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-2 સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્યના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન જોવા મળી રહ્યુ છે. વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને સતત તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

14:14 September 04

રસ્તાપરના ભુવાઓ ન પુરાતા ધારાસભ્યએ હંગામો મચાવ્યો

પાટણ : કુલડીવાસમાં પડેલ ભુવો ન પુરાતા ધારાસભ્યએ હંગામો મચાવ્યો હતો. છેલ્લા 18 દિવસથી વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે મોડી રાત્રે રેલી યોજી ચીફ ઓફિસરના ઘરે પહોંચ્યા હતા. તેમના ઘર આગળ ધરણા ઉપર ઉતરી રામધૂન બોલાવી હતી. કલેકટરની સૂચનાથી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મધ્યરાત્રીએ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવામાં આવી હતી. ધારાસભ્યની પ્રજાલક્ષી કામગીરીની લોકોએ વખાણી હતી.

14:10 September 04

દેવુસિંહ ચૌહાણે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું

વડોદરા : કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ ગણેશ દર્શન માટે આવ્યા છે. તેમને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકી અર્બન નક્લવાદી છે. ગુજરાતની જનતા પરિપકવ અને સમજદાર છે, તેનાથી આપ અજાણ છે. મેઘા પાટકર અને અરવિંદ કેજરીવાલે ગુજરાતના વિકાસમાં રોડા નાખ્યા છે.

12:23 September 04

જિલ્લામાં વિવિધ મેળાનો શુપ્રારંભ

સાબરકાઠાં : આજથી જિલ્લામાં વિવિધ મેળાનો શુપ્રારંભ થવા જઇ રહ્યો છે. હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે ઝાલા બાવજીના મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આવતીકાલથી જાદરમા ત્રણ દિવસનો મેળો યોજાશે. ખેડબ્રહ્માના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઝાલા બાવજીના મેળામાં લોકો બાધા માનતા માટે આવતા હોય છે. આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે.

12:20 September 04

ભારતીય કિસાન સંઘ દ્વારા નેશનલ હાઇવે 8 પર ચક્કાજામ

સાબરકાંઠા : ભારતીય કિસાન સંઘ દ્વારા નેશનલ હાઇવે 8 પર ચક્કાજામ કર્યો છે. 400થી વધુ કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે. સરકાર સામે વિવિધ માગણીઓને લઇને આ પગલું ભર્યું છે. હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કિસાન સંઘની માગણીઓ પૂરી ના થતા હવે વિરોધ પ્રદર્શન તેમજ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે.

12:17 September 04

સિવિલ હોસ્પિટલ ખાતે આજથી આયુર્વેદિક ઓપીડીનો પ્રારંભ

મહેસાણા વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજથી આયુર્વેદિક ઓપીડીનો પ્રારંભ શરુ કરાયો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે આયુર્વેદિક ઓપીડીનો ઈ શુભારંભ કરાયો હતો. ક્યાં દર્દીને એલોપેથીક અને આયુર્વેદિક સારવારની જરૂર છે તેં દર્દીને પરિચય થાય તેનું આયોજન કરવા સૂચન કરાયું છે. પ્રારંભ સમયેજ 18 દર્દીઓએ આયુર્વેદિક ચિકિત્સાનો લાભ મેળવ્યો હતો.

12:12 September 04

લગ્ન નોંધણી કરતા અધિકારીઓએ લગ્ન નોંધણીમાં કરી ચાલાકી

જામનગર : જિલ્લામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે આવી રહ્યો છે. લગ્ન નોંધણી કરતા અધિકારીઓએ લગ્ન નોંધણીમાં કરી ચાલાકી હતી, જેમાં તારીખ અને મહિનાનો ઉલ્લેખ લગ્નનોંધણીપત્રમાં ન કર્યો. આ બાબતને લઇને હિન્દૂ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

10:54 September 04

તાલુકા પંચાયતના કોગ્રેસના સદસ્યો ભાજપમાં જોડાશે

પોરબંદર : આજે માળીયા હાટીનામાં પરસોતમ રૂપાલાની મુલાકાત દરમિયાન બે તાલુકા પંચાયતના કોગ્રેસના સદસ્યો પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.

09:36 September 04

કિશન પટેલ આજે ભાજપમાં જોડાશે

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સેવની સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ કામરેજ તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિશન પટેલ આજે ભાજપમાં જોડાશે. મંત્રી મુકેશ પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે. કિશન પટેલ છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા છે.

07:56 September 04

અમિતશાહ અમદાવાદીની મુલાકાતે

વિધાનસભા ચૂંટણી 2022ને લઇને અમિતશાહ આજે અમદાવાદની મૂલાકાતે આવેલ છે. વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.

06:54 September 04

પારસી યુવાન દ્વારા ગણેશ સ્થાપના

નવસારીમાં પારસી યુવાન દ્વારા ગણેશ સ્થાપના કરી પોતાની અસલ ઓળખ સાથે બાપ્પાની પૂજા અર્ચના કરી રહ્યા છે.

Last Updated : Sep 4, 2022, 3:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.