ETV Bharat / city

કોરોનાના ડરને પગલે હાલ 10 ટકા લોકો જ પસંદ કરી રહ્યાં છે રેસ્ટોરન્ટનું ભોજન

અનલોક-1ના બીજા ચરણમાં એટલે કે 8 જૂનથી મોલ હોટેલ અને રેસ્ટોરન્ટ ફરી એક વખત શરૂ થયાં છે. ત્યારે ગુજરાતભરમાં 75 દિવસથી બંધ રહેલ રેસ્ટોરન્ટ પણ શરૂ થયાં હતાં. જેમાં ટેબલ કેપેસિટીનો માત્ર ૩૦થી ૫૦ ટકાનો જ ઉપયોગ થવાનો શરૂ થયો હતો. વાઈરસ ન ફેલાય તે માટે સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી. પરંતુ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે અને તે પ્રમાણે શ્રમિકો તેમના વતન પાછા જતા રહ્યાં છે તે પ્રમાણે હાલ ૭૦થી ૭૫ ટકા જેટલું નુકસાન હોટેલ અને રેસ્ટોરન્ટ ધંધામાં થયું છે.

author img

By

Published : Jun 15, 2020, 7:10 PM IST

કોરોનાના ડરને પગલે હાલ 10 ટકા લોકો જ પસંદ કરી રહ્યાં છે રેસ્ટોરન્ટનું ભોજન

અમદાવાદ: કોરોના મહામારીમાં એવો એક પણ ધંધો નથી જેને અસર પહોંચી ન હોય. પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસની સૌથી વધારે હાલાકી ભોગવવાનો સામનો હાલ કરવો પડી રહ્યો છે. કારણ કે સરકાર તરફથી હોટેલ અને રેસ્ટોરન્ટ ફરી ચાલુ કરવાના આદેશ અપાયાં છે, પરંતુ સાફ ન હોવાને કારણે અડધાથી વધારે રેસ્ટોરન્ટ ઓપન થઇ શકે નથી. જે લોકો શ્રમિકો હતાં તે લોકો હવે દીવાળી સુધી પાછા આવે તેવી કોઈ જ આશા નથી. જે લોકો રાજસ્થાનથી આવતાં હતાં તે લોકો માટે પણ હવે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે કોરોનાના વધતા કેસને લઇને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.

કોરોનાના ડરને પગલે હાલ 10 ટકા લોકો જ પસંદ કરી રહ્યાં છે રેસ્ટોરન્ટનું ભોજન
બીજી તરફ સરકાર દ્વારા સાત વાગ્યા સુધી જ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી મળી છે તેના લીધે પણ ધંધા પર અસર પડી છે. કારણ કે મહત્તમ લોકો સાંજે બહાર જવાનું કે બહારથી હોમ ડિલિવરી કરવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેના લીધે જ ૭૦થી ૭૫ ટકા જેટલી રેસ્ટોરન્ટને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. બીજી તરફ જ્યારે પહેલાં ૨૫થી ૩૦ ટકા જેટલું રેસ્ટોરન્ટમાં વેચાણ થતું હતું તેના બદલે અત્યારે ૧૦ ટકા જ ધંધો રહ્યો છે. ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે, આવનારા થોડા સમયમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી ૧૦ થી ૧૫ લાખ જેટલા લોકો બેરોજગાર થશે. જો દીવાળી પછી પણ આ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો રેસ્ટોરન્ટ બિઝનેસ પડી ભાંગશે. હજી પણ રેસ્ટોરન્ટમાંથી ૧૦ ટકા લોકો જ ટેક અવે અને હોમ ડિલિવરી કરાવતાં હોય છે. કારણ કે હજી પણ લોકોમાં ડર છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ગ્રાહકોને સંતોષપૂર્વક કામગીરી આપવા છતાં પણ કોરોનાનો ડર લોકોના દિમાગમાં છે અને તેના લીધે લોકો બહાર નીકળવાનું અને બહારનું ખાવાનું હાલ ટાળી રહ્યાં છે.

અમદાવાદ: કોરોના મહામારીમાં એવો એક પણ ધંધો નથી જેને અસર પહોંચી ન હોય. પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસની સૌથી વધારે હાલાકી ભોગવવાનો સામનો હાલ કરવો પડી રહ્યો છે. કારણ કે સરકાર તરફથી હોટેલ અને રેસ્ટોરન્ટ ફરી ચાલુ કરવાના આદેશ અપાયાં છે, પરંતુ સાફ ન હોવાને કારણે અડધાથી વધારે રેસ્ટોરન્ટ ઓપન થઇ શકે નથી. જે લોકો શ્રમિકો હતાં તે લોકો હવે દીવાળી સુધી પાછા આવે તેવી કોઈ જ આશા નથી. જે લોકો રાજસ્થાનથી આવતાં હતાં તે લોકો માટે પણ હવે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે કોરોનાના વધતા કેસને લઇને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.

કોરોનાના ડરને પગલે હાલ 10 ટકા લોકો જ પસંદ કરી રહ્યાં છે રેસ્ટોરન્ટનું ભોજન
બીજી તરફ સરકાર દ્વારા સાત વાગ્યા સુધી જ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી મળી છે તેના લીધે પણ ધંધા પર અસર પડી છે. કારણ કે મહત્તમ લોકો સાંજે બહાર જવાનું કે બહારથી હોમ ડિલિવરી કરવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેના લીધે જ ૭૦થી ૭૫ ટકા જેટલી રેસ્ટોરન્ટને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. બીજી તરફ જ્યારે પહેલાં ૨૫થી ૩૦ ટકા જેટલું રેસ્ટોરન્ટમાં વેચાણ થતું હતું તેના બદલે અત્યારે ૧૦ ટકા જ ધંધો રહ્યો છે. ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે, આવનારા થોડા સમયમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી ૧૦ થી ૧૫ લાખ જેટલા લોકો બેરોજગાર થશે. જો દીવાળી પછી પણ આ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો રેસ્ટોરન્ટ બિઝનેસ પડી ભાંગશે. હજી પણ રેસ્ટોરન્ટમાંથી ૧૦ ટકા લોકો જ ટેક અવે અને હોમ ડિલિવરી કરાવતાં હોય છે. કારણ કે હજી પણ લોકોમાં ડર છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ગ્રાહકોને સંતોષપૂર્વક કામગીરી આપવા છતાં પણ કોરોનાનો ડર લોકોના દિમાગમાં છે અને તેના લીધે લોકો બહાર નીકળવાનું અને બહારનું ખાવાનું હાલ ટાળી રહ્યાં છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.