ETV Bharat / city

ધંધુકાની રેફરલ હોસ્પિટલના ડૉ.વોલેન્સનું કોરોનાથી નિધન

author img

By

Published : Nov 23, 2020, 9:53 AM IST

ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર વોલેસભાઈ નાનજીભાઈ અસારીનું કોરોનાથી મુત્યું થયું છે. જેઓ 2012થી રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા હતા, પરંતુ છેલ્લા ત્રણ માસથી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશનમાં મૂકવામાં આવ્યા હતા.

રેફરલ હોસ્પિટલ
રેફરલ હોસ્પિટલ
  • સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશન દરમિયાન કોરોના સંક્રમિત થયા
  • કોરોના પોઝિટિવ આવતા તેમને એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
  • છેલ્લા પંદર દિવસથી સારવાર લઈ રહેલ ડોક્ટરનું અંતે નિધન

અમદાવાદ (ધંધુકા): ડૉ. વોલેન્સ નાનજીભાઈ અસારી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નોકરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આવેલા કાવિઠા પી.એચ.સી ખાતે જોડાયા બાદ બગોદરા, ધોલેરા બાદ રેફરલ હોસ્પિટલ ખાતે 14/ 2/2012થી ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન તેમણે અધિક્ષક તરીકે પણ પાંચ વર્ષ ફરજ બજાવી હતી. તેમજ મડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા

છેલ્લા ત્રણ માસથી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશન

સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેમને છેલ્લા ત્રણ માસથી ડેપ્યુટેશનમાં મુકવામાં આવ્યા હતા. ત્યાં તેમણે કોરોના અંગે રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એપોલો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા પંદર દિવસથી જ સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર કારગત ના નીવડી, છેલ્લે તો તેમનો પોઝિટિવમાંથી નેગેટિવ રિપોર્ટ પણ આવ્યો હતો. ગત્ત રાત્રીએ (રવિવાર) તેમનું નિધન થયું હતું. તેમના મૃતદેહને સ્વજનોને આપી અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકાના લુસડીયા ગામે દફનવિધિ કરવામાં આવી હતી.

ડો. નિષ્ઠાપૂર્વક સારવાર આપવામાં ખડે પગે હાજર રહેતા

ધંધુકા રેફરલ હોસ્પિટલ અમદાવાદ ભાવનગર હાઇવેના અકસ્માત ઝોન વિસ્તારમાં આવેલો હોવાથી અવાર નવાર અકસ્માતો થવાની ઘટના સતત જોવા મળે છે. ડૉક્ટર વી એન અસારી રાત્રિના કોઈપણ સમયે 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવે તો તરત જ નિષ્ઠાપૂર્વક સારવાર આપવામાં ખડે પગે હાજર રહેતા હતા. મેડિકલ જેવા કેસોમાં પણ કોઈપણ જાતના ભેદભાવ વિના સારવાર આપવામાં તત્પરતા દાખવતા હતા.

હોસ્પિટલના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન

ડૉ. વી.એન અસારીના નિધનના સમાચાર ધંધુકા નગરમાં પ્રસરતા નગરજનોના મુખેથી સરી પડતા શબ્દો" રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ગમે ત્યારે ગમે તે સમયે સારવાર આપનારા ડૉક્ટર ગુમાવ્યા છે" તેમની ખોટને હંમેશા લોકો યાદ કરશે. રેફરલ હોસ્પિટલ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા ડૉક્ટર ઉદિતભાઈ જુવાલિયા અધિક્ષક દ્વારા હોસ્પિટલના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, ધંધુકા નગરપાલિકાના સદસ્ય અમિતભાઈ રાણપુરા, ડૉક્ટર સિરાજભાઈ તેમજ અન્ય ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફ સહિતના લોકોએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

  • સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશન દરમિયાન કોરોના સંક્રમિત થયા
  • કોરોના પોઝિટિવ આવતા તેમને એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
  • છેલ્લા પંદર દિવસથી સારવાર લઈ રહેલ ડોક્ટરનું અંતે નિધન

અમદાવાદ (ધંધુકા): ડૉ. વોલેન્સ નાનજીભાઈ અસારી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નોકરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આવેલા કાવિઠા પી.એચ.સી ખાતે જોડાયા બાદ બગોદરા, ધોલેરા બાદ રેફરલ હોસ્પિટલ ખાતે 14/ 2/2012થી ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન તેમણે અધિક્ષક તરીકે પણ પાંચ વર્ષ ફરજ બજાવી હતી. તેમજ મડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા

છેલ્લા ત્રણ માસથી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ડેપ્યુટેશન

સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેમને છેલ્લા ત્રણ માસથી ડેપ્યુટેશનમાં મુકવામાં આવ્યા હતા. ત્યાં તેમણે કોરોના અંગે રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એપોલો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા પંદર દિવસથી જ સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર કારગત ના નીવડી, છેલ્લે તો તેમનો પોઝિટિવમાંથી નેગેટિવ રિપોર્ટ પણ આવ્યો હતો. ગત્ત રાત્રીએ (રવિવાર) તેમનું નિધન થયું હતું. તેમના મૃતદેહને સ્વજનોને આપી અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકાના લુસડીયા ગામે દફનવિધિ કરવામાં આવી હતી.

ડો. નિષ્ઠાપૂર્વક સારવાર આપવામાં ખડે પગે હાજર રહેતા

ધંધુકા રેફરલ હોસ્પિટલ અમદાવાદ ભાવનગર હાઇવેના અકસ્માત ઝોન વિસ્તારમાં આવેલો હોવાથી અવાર નવાર અકસ્માતો થવાની ઘટના સતત જોવા મળે છે. ડૉક્ટર વી એન અસારી રાત્રિના કોઈપણ સમયે 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવે તો તરત જ નિષ્ઠાપૂર્વક સારવાર આપવામાં ખડે પગે હાજર રહેતા હતા. મેડિકલ જેવા કેસોમાં પણ કોઈપણ જાતના ભેદભાવ વિના સારવાર આપવામાં તત્પરતા દાખવતા હતા.

હોસ્પિટલના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન

ડૉ. વી.એન અસારીના નિધનના સમાચાર ધંધુકા નગરમાં પ્રસરતા નગરજનોના મુખેથી સરી પડતા શબ્દો" રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ગમે ત્યારે ગમે તે સમયે સારવાર આપનારા ડૉક્ટર ગુમાવ્યા છે" તેમની ખોટને હંમેશા લોકો યાદ કરશે. રેફરલ હોસ્પિટલ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા ડૉક્ટર ઉદિતભાઈ જુવાલિયા અધિક્ષક દ્વારા હોસ્પિટલના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, ધંધુકા નગરપાલિકાના સદસ્ય અમિતભાઈ રાણપુરા, ડૉક્ટર સિરાજભાઈ તેમજ અન્ય ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફ સહિતના લોકોએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.