ETV Bharat / city

અમદાવાદના જ્વેલરી માર્કેટમાં આ દિવાળીએ લાઈટ વેઈટ જ્વેલરીની માગ

author img

By

Published : Nov 12, 2020, 6:46 PM IST

Updated : Nov 12, 2020, 10:29 PM IST

કોરોના વાઈરસના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ ઊંચકાયા હતા. બીજી તરફ લોકડાઉનના કારણે લોકોની આવક ઓછી થતા આ વખતે દિવાળીમાં સોના ચાંદી બજારમાં ખરીદી નીકળશે નહીં, તેવું માનવામાં આવતું હતું. પરંતુ દિવાળીમાં પુષ્ય નક્ષત્ર બેસતા ગત વર્ષ કરતાં 50 ટકા જેટલી ખરીદી નીકળી છે. જેથી જવેલર્સ ખુશ છે.

અમદાવાદના જવેલરી માર્કેટમાં આ દિવાળીમાં લાઈટ વેઇટ જવેલરીની માગ
અમદાવાદના જવેલરી માર્કેટમાં આ દિવાળીમાં લાઈટ વેઇટ જવેલરીની માગ

● કોરોના વાઈરસના સંક્રમણને કારણે જ્વેલરી બજારમાં ગયા વર્ષ કરતાં 50 ટકા ધરાકી
● આ વર્ષે લાઈટ વેઇટ જવેલરીનો ટ્રેન્ડ
● ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ

અમદાવાદઃગુજરાત અને ભારતમાં દિવાળીએ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. બીજી તરફ સામાન્ય રીતે દિવાળી બાદ લગ્નસરાની સિઝન પણ આવતી હોય છે, ત્યારે તેને લઈને પણ આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે પણ સારી ખરીદી જોવા મળશે, તેવી આશા જવેલર્સ સેવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ધનતેરસે 350-400 કરોડની ખરીદી થશે તેવો અંદાજ અમદાવાદમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં જીગર સોનીએ લગાવ્યો છે.

ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ
ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ

દિવાળીને લઈને લોકો જૂના ઘરેણાં કરાવી રહ્યાં છે પોલિશ

સામાન્ય રીતે ધનતેરસના દિવસે ઘરેણા ઉપરાંત લગડી અને સિક્કા પણ વધુ વેચાતા હોય છે. જો કે આ વખતે લાઈટ વેઇટ જવેલરી ખરીદવાનું આકર્ષણ લોકોમાં જોવા મળી રહ્યું છે. 70 થી 80 ગ્રામની જ્વેલરી ખરીદતા લોકો 40-50 ગામની જ્વેલરી ખરીદી રહ્યા છે. આ ઉપરાંત તહેવારો તેમ જ લગ્નસરાને લઈને જૂના ઘરેણા પોલીશ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.

લગ્નસરાને લઈને જૂના ઘરેણા પોલીશ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ ખુલ્લાં બજારમાંથી સોનાની ખરીદી કરી

કોરોના વાઈરસના આ સંક્રમણ કાળમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ બજારમાંથી સોનાની મોટાપાયે ખરીદી કરતા તેના ભાવ ઊંચકાયા હતા. પરંતુ કોરોનાની રસીની શોધની જાહેરાતથી તેમાં 100 ડોલર જેટલો ઘટાડો થયો છે. ત્યારે જો ભાવ સ્થિર રહે તો વધુ ખરીદી નીકળે તેવી આશા જવેલર્સ રાખી રહ્યાં છે.

● કોરોના વાઈરસના સંક્રમણને કારણે જ્વેલરી બજારમાં ગયા વર્ષ કરતાં 50 ટકા ધરાકી
● આ વર્ષે લાઈટ વેઇટ જવેલરીનો ટ્રેન્ડ
● ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ

અમદાવાદઃગુજરાત અને ભારતમાં દિવાળીએ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. બીજી તરફ સામાન્ય રીતે દિવાળી બાદ લગ્નસરાની સિઝન પણ આવતી હોય છે, ત્યારે તેને લઈને પણ આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે પણ સારી ખરીદી જોવા મળશે, તેવી આશા જવેલર્સ સેવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ધનતેરસે 350-400 કરોડની ખરીદી થશે તેવો અંદાજ અમદાવાદમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં જીગર સોનીએ લગાવ્યો છે.

ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ
ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ

દિવાળીને લઈને લોકો જૂના ઘરેણાં કરાવી રહ્યાં છે પોલિશ

સામાન્ય રીતે ધનતેરસના દિવસે ઘરેણા ઉપરાંત લગડી અને સિક્કા પણ વધુ વેચાતા હોય છે. જો કે આ વખતે લાઈટ વેઇટ જવેલરી ખરીદવાનું આકર્ષણ લોકોમાં જોવા મળી રહ્યું છે. 70 થી 80 ગ્રામની જ્વેલરી ખરીદતા લોકો 40-50 ગામની જ્વેલરી ખરીદી રહ્યા છે. આ ઉપરાંત તહેવારો તેમ જ લગ્નસરાને લઈને જૂના ઘરેણા પોલીશ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.

લગ્નસરાને લઈને જૂના ઘરેણા પોલીશ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ ખુલ્લાં બજારમાંથી સોનાની ખરીદી કરી

કોરોના વાઈરસના આ સંક્રમણ કાળમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ બજારમાંથી સોનાની મોટાપાયે ખરીદી કરતા તેના ભાવ ઊંચકાયા હતા. પરંતુ કોરોનાની રસીની શોધની જાહેરાતથી તેમાં 100 ડોલર જેટલો ઘટાડો થયો છે. ત્યારે જો ભાવ સ્થિર રહે તો વધુ ખરીદી નીકળે તેવી આશા જવેલર્સ રાખી રહ્યાં છે.

Last Updated : Nov 12, 2020, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.