અમદાવાદઃ કોરોના વાઈરસની કામગીરી અંગેની ફરજ બજાવતા મૃત્યુ પામનારા આ ચોથા શિક્ષક હતા. રીટાબેન પાવાગઢીના મોતથી શિક્ષકોમાં પણ રોષ વ્યાપ્યો છે. કારણકે, તેમને અગાઉ સરકાર સમક્ષ નીચે મુજબની કેટલીક રજૂઆતો કરી હોવા છતાં સરકાર તરફથી કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.
કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત 1. કોરોના અંગેની ફરજમાં રોકાયેલ શિક્ષકોને માસ્ક, સેનિટાઈઝર અને PPE કીટ પુરી પાડવામાં આવે.2. શિક્ષકોને તેમના રહેણાંકના નજીકના વિસ્તારમાં કામગીરી સોંપાય.3. બફર ઝોન/કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તરમાં ફરજમાંથી બાકાત રાખવામાં આવે.4. કોરોનાની કામગીરી કરતા શિક્ષકોને પોલીસ યોગ્ય સાથ આપે.5. શિક્ષકોને ઘરે ઘરે સર્વે કરવા ન મોકલતા એક સરકારી બિલ્ડીંગ ફાળવવામાં આવે.6. 45 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોને કોરોનાની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે.7. કોરોના વાઈરસના કારણે ફરજ પર મૃત્યુ પામનારા શિક્ષકના પરિવારને સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે.કોઈપણ કુદરતી આપત્તિ આવી પડે ત્યારે સરકારી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સરકાર વધારાની ફરજ પર મૂકતી હોય છે. શિક્ષકો પણ વગર કોઈ વિરોધે તે ફરજ નિભાવતા હોય છે. પરંતુ કોરોના વાઈરસની આ મહામારીમાં કોઈપણ વ્યક્તિ તેમાંથી બાકાત નથી. શિક્ષકોની માગ ફક્ત એટલી જ છે કે, તેમને કોરોનાથી બચવાના જરૂરી સાધન પૂરા પાડવામાં આવે. જોકે ઉપરી અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હોવા છત્તા પણ તેમના તરફથી કોઈ જવાબ મળેલ નથી. બીજી તરફ શિક્ષકોને કોરોનાની ફરજ પર હાજર રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.