- 24 કલાકમાં 698 નવા કેસ સાથે 898 દર્દી થયા સાજા
- અત્યાર સુધીમાં કુલ 2,34,558 દર્દીઓ થયા સાજા
- કુલ મૃત્યુઆંક 4321 થયો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 698 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધી રહ્યો છે. જો કે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે, સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,47,926 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.61 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 47,995 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 98,58,695 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસો
રાજયમાં કોરોનાના જિલ્લાવાર કેસમાં અમદાવાદ કોર્પોરેશન 142, સુરત કોર્પોરેશન 102, વડોદરા કોપોરેશન 102, રાજકોટ કોર્પોરેશન 49, વડોદરા 28, દાહોદ 26, કચ્છ 23, સુરત 22, નર્મદા 15, રાજકોટ 15, ગાંધીનગર 13, ખેડા 13, ભરૂચ 12, મોરબી 12, ભાવનગર કોર્પોરેશન 11, ગાંધીનગર કોર્પોરેશન 11, જૂનાગઢ 10, આણંદ 9, બનાસકાંઠા 9, પંચમહાલ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, સુરેન્દ્રનગર 7, જામનગર કોર્પોરેશન 6, મહેસાણા 6, સાબરકાંઠા 6, ગીર સોમનાથ 5, ભાવનગર 4, મહીસાગર 4, તાપી 4, અમરેલી 3, અરવલ્લી 3, નવસારી 3, અમદાવાદ 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1, જામનગર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં ક્યાં કેટલા લોકોના થયા મૃત્યું
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી ગયો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 3 દર્દીઓના મોત થયા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 2 લોકોને કોરોના ભરખી ગયો છે, ત્યાં જ સુરતમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4321એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,34,558 નાગરીકો સાજા થઈ ગયા છે. 4321ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 9047સારવાર હેઠળના દર્દીઓ પૈકી 60 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 8986 સ્ટેબલ છે.