ETV Bharat / city

'કોરોના કહેર': ચીનથી 10 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા - Ahmedabad Airport

ચીનમાં કોરોના વાઇરસથી ભયનો માહોલ સર્જાયો છે. ભારતના જે વિદ્યાથીઓ ચીનમાં તબીબી અભ્યાસ અર્થે ગયા હતા, તે પૈકી 10 વિદ્યાર્થીઓ આજે સ્વદેશ પરત ફર્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓની અમદાવાદ એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી કરવામાં આવી ન હોવાની વિગત જાણવા મળી છે.

Student
વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા
author img

By

Published : Jan 30, 2020, 5:51 PM IST

Updated : Jan 31, 2020, 8:06 AM IST

પંચમહાલ: ચીનમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ભારતમાંથી ચીન તબીબી અભ્યાસ કરવા ગયેલા કેટલાંક વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના પણ 200થી વધુ વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જે પૈકી કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈન સિટીમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા ભારત સરકાર દ્વારા વિશેષ વિમાન ચીન મોકલવામાં આવશે.

ચીનથી પંચમહાલના 10 વિદ્યાર્થીઓ પરત ફર્યા

જોકે, ચીનના જ્યુજયાન શહેરમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જિલ્લાના 10 વિદ્યાર્થીઓ સરકારી મદદની રાહ જોયા વિના સ્વખર્ચે ભારત પરત ફર્યા છે. જ્યુજયાન સિટીમાં જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ રહેતા હતા, તેમની સાથે અભ્યાસ કરતા ચીનના સ્થાનિક વિદ્યાર્થીઓ પૈકી 4નો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં પણ દહેશત વ્યાપી હતી.

ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે માત્ર એક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. આ સિવાય તેમનું કોઈપણ પ્રકારનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું નહોતું અને તબીબી પરિક્ષણ વગર જ તેમને જવા દેવામાં આવ્યા હોવાનું આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે.

પંચમહાલ: ચીનમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ભારતમાંથી ચીન તબીબી અભ્યાસ કરવા ગયેલા કેટલાંક વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના પણ 200થી વધુ વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જે પૈકી કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈન સિટીમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા ભારત સરકાર દ્વારા વિશેષ વિમાન ચીન મોકલવામાં આવશે.

ચીનથી પંચમહાલના 10 વિદ્યાર્થીઓ પરત ફર્યા

જોકે, ચીનના જ્યુજયાન શહેરમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જિલ્લાના 10 વિદ્યાર્થીઓ સરકારી મદદની રાહ જોયા વિના સ્વખર્ચે ભારત પરત ફર્યા છે. જ્યુજયાન સિટીમાં જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ રહેતા હતા, તેમની સાથે અભ્યાસ કરતા ચીનના સ્થાનિક વિદ્યાર્થીઓ પૈકી 4નો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં પણ દહેશત વ્યાપી હતી.

ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે માત્ર એક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. આ સિવાય તેમનું કોઈપણ પ્રકારનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું નહોતું અને તબીબી પરિક્ષણ વગર જ તેમને જવા દેવામાં આવ્યા હોવાનું આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે.

Intro:ચીન કોરોના વાઇરસને લઈને ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ભારતના વિદ્યાથીઓ કે જે ચીનના વિવિધ શહેરોમાં તબીબી અભ્યાસ અર્થે ગયા હતા તે પૈકીના ૧૦ વિદ્યાર્થીઓ આજે પોતાના વતન પરત થયા છે ત્યારે આ વિદ્યાર્થીઓની અમદાવાદ એરપોર્ટ ખાતે કોઇપણ પ્રકારની ચકાસણી કરવામાં ન આવી હોવાની વિગતો બહાર આવી છે ચીનમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાંથી ચીનના વિવિધ શહેરોમાં તબીબી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વિગતો બહાર આવી છે ત્યારે ગુજરાતના પણ ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ચીનના હુબેઈન,નાનટાંગ જ્યુજયાન સિટીમાં અભ્યાસ અર્થે ગયા હતા દરમિયાન તેઓ હાલ ત્યાં ફસાયા છે જે પૈકી વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત એવા હુબેઈન સિટીના ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ પ્લેન ચીન મોકલવામાં આવનાર છે ત્યારે ચીનના જ્યુજયાન શહેરમાં એમ બી બી એસ નો અભ્યાસ કરવા માટે ગયેલા ગુજરાતના પંચમહાલ , મહીસાગર અને મહેસાણા જીલ્લાના ૧૦ જેટલા વિદ્યાર્થીઓ સરકારની મદદની રાહ જોયા વિના જ સ્વખર્ચે આજે ભારત પરત ફર્યા છે, જ્યુજયાન સિટીમાં જ્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા તે જગ્યાએ તેમની સાથે અભ્યાસ કરતા ચીનના સ્થાનિક વિદ્યાર્થીઓ પૈકીના ૪ વિદ્યાર્થીઓને કોરોના વાઈરસ નો રીપોર્ટ પોઝીટીવ આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં દહેશત વ્યાપી હતી અને તે પૈકીના પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાના રહેવાસી કિશન ગોહિલ નામનો વિદ્યાર્થી આજે વહેલી સવારે પોતના ઘરે પરત ફર્યો છે. કિશન તેના અન્ય ૯ જેટલા ભારતીયો સાથે જ્યુજયાનથી ખાનગી બસ મારફતે નાનટાંગ અને નાનટાંગથી ફ્લાઈટ મારફતે બેન્કોંગ અને બેન્કોંગથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા , પરત આવેલા આ વિદ્યાર્થીઓની નાનટાંગ અને બેન્કોંગ એરપોર્ટ ખાતે સંપૂર્ણ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તબીબી પરીક્ષણ બાદ ફીટનેશ ક્લીયરન્સ આપવામાં આવ્યા બાદ તેમને ભારત મોકલવામાં આવ્યા હતા પરંતુ ભારતમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા બાદ માત્ર એક ફોર્મ જ ભરાવ્યા બાદ તેમનું કોઈપણ પ્રકારનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું અને તબીબી પરીક્ષણ વગર જ તેમને જવા દેવામાં આવ્યા હોવાનું આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાઇરસ ને લઈને કરવામાં આવતા દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે , સરકાર દ્વારા જે વાત કરવામાં આવે છે કે ચીનથી આવતા નાગરિકોનું એરપોર્ટ ખાતે જ પરીક્ષણ કરવામાં આવે છે અને જરૂર જણાઈ તો તેમને સારવાર આપવામાં આવ્યા બાદ તેમના વતનમાં મોકલવામાં આવે છે આ તમામ વાતો હાલ માત્ર કાગળ પર જ રહી જવા પામી છે .

બાઈટ ૧ : કિશન ગોહિલ , ચીનથી પરત આવેલ વિદ્યાર્થી
ચીનથી પરત ફરેલા ૧૦ વિદ્યાર્થીઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે કોઈપણ પ્રકારનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. જે એક ગંભીર બાબત કહી શકાય ત્યારે પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતેના સોમનાથ નગર સોસાયટીમાં રહેતો કિશન ગોહિલ પોતાના ઘરે પરત ફર્યો છે ત્યારે મીડિયામાં એહવાલો પ્રસારિત થયા બાદ મોડે મોડે જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા તેના ઘરે માત્ર નર્સિંગ સ્ટાફ મોકલીને આ વિદ્યાર્થીની પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી, જીલ્લા આરોગ્ય અધિકારીના મતે ટીમ દ્વારા આ વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારના આ વાઈરસને લગતા લક્ષણો આ વિદ્યાર્થીમાં હાલ જોવા મળ્યા નથી.
Body:Gj10003Conclusion:
Last Updated : Jan 31, 2020, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.