- રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
- 3 મહિના કોરોનાની ચાલી રહી હતી સારવાર
- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ વ્યક્ત કર્યો શોક
અમદાવાદ : ઓગસ્ટમાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. જે બાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 મહિના કોરોના સામે લડ્યા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ તેમના નિધનને આઘાતજનક ગણાવ્યું છે.
કોણ હતા અભય ભારદ્વાજ?
અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતા પક્ષના પ્રધાન બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
જનસંઘના નેતા સ્વ. ચીમન શુક્લના ભાણેજ હતા અભય ભારદ્વાજ
આપને જણાવી દઇએ કે, અભય ભારદ્વાજ રાજકોટના વતની હતા તથા જનસંઘના નેતા સ્વ. ચીમન શુક્લના ભાણેજ હતા. તેમને રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અભય ભારદ્વાજ છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય હતા. આ સાથે જ તેમને રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
![અભય ભારદ્વાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9732329_92_9732329_1606845586007.png)
આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો જન્મ