- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની તવાઈ
- શહેરમાં બી. યુ. પરમિશન ન ધરાવતી દુકાનો, ઓફિસોને કરાઈ સીલ
- બી. યુ. પરમિશન વગર કામ કરતી 314 દુકાન, ઓફિસ સહિત 514 એકમ સીલ
અમદાવાદઃ શહેરમાં બી. યુ. પરમિશન વગર ચાલતી દુકાનો, ઓફિસ સહિતના એકમો સામે હવે કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે વિવિધ જગ્યાએ દરોડા પાડી કુલ 514 એકમ સીલ કર્યા છે.
આ પણ વાંચો- બીયુ પરમિશન ન હોય તો સીલ મારવામાં મનપા ભેદભાવ કરતી હોવાનો વેપારીઓનો આક્ષેપ
2 નોટિસ આપી છતા મિલકતધારકોએ બી.યુ. પરમિશન નહતી મેળવી
શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી, નવરંગપુરા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલી અનેક હોટલ અને પૂર્વ વિસ્તારમાં આવેલી કેટલીક મિલકતો અને એસટેટ વિભાગ દ્વારા બી.યુ. પરમિશન ન હોવાથી સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી 2 નોટિસ આપી હતી. છતાં પણ મિલકત ધારકો દ્વારા બી.યુ. પરમિશન લેવા અંગે કોઈ કામગીરી ન કરાતા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓફિસ સીલ કરી દીધી છે.
આ પણ વાંચો- અપૂરતા Fire Safety સંસાધનો હોવાથી Surat Fire Department દ્વારા 18 હોસ્પિટલ્સ સીલ કરાઈ
વિજય ચાર રસ્તા પાસેના યુનિવર્સિટી પ્લાઝાને એક વર્ષ અગાઉ પણ સીલ કરાયું હતું
હાઈકોર્ટ દ્વારા અગાઉ તમામ કોમ્પલેક્સ પાસે બી.યુ. પરમિશન ફરજિયાત બનાવવાના આદેશ આપ્યા હતા. જોકે, તેમ છતાં પણ અનેક જ એકમો છે. તેની પાસે બી. યુ. પરમિશન ન હોવાથી મંગળવારે આવા એકમોને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, વિજય ચાર રસ્તા નજીક આવેલા યુનિવર્સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં પરમિશન ન હોવાથી એક વર્ષ અગાઉ પણ સીલ કરાયું હતું ત્યારે તમને પાસેથી બાંયેધરી તંત્રે લીધી હતી કે, જરૂરી પ્રક્રિયા પૂરી કરીને બી.યુ. પરમિશન મેળવવી પડશે. જોકે, કોઈ પણ પ્રકારની લાંબા સમય સુધી પ્રક્રિયા ન કરાતા કોર્પોરેશન તંત્ર દ્વારા ફરી યુનિવર્સિટી પ્લાઝાને સીલ કરી દેવાયું છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 146 યુનિટને તંત્ર દ્વારા સીલ કરી દેવાયા છે.