ETV Bharat / city

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અંગે ભાજપે આપી પ્રતિક્રિયા

author img

By

Published : Mar 31, 2021, 6:18 PM IST

રાકેશ ટિકૈત 04 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને કોઈ સમસ્યા નથી.ખેડૂતો કોઈની વાતમાં આવશે નહીં.

ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં નહીં આવે
ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં નહીં આવે
  • રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ
  • ત્રણ કૃષિ કાયદાઓને લઈને કરશે ચર્ચા
  • ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં નહીં આવે: યમલ વ્યાસ

અમદાવાદ: રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત 04 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગુજરાતના ખેડૂતોને મળશે અને તેમની સાથે ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચર્ચા કરશે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને કોઈ સમસ્યા નથી. અહીં ખેડૂતોને તેમની ઉપજનો પુરતો ભાવ મળી રહે છે. સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણીઓમાં 31માંથી 31 જિલ્લા પંચાયત પર મોટા માર્જિનથી ભાજપનો વિજય થયો છે. તે દર્શાવે છે કે, લોકો ભાજપની સાથે છે. ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં આવશે નહીં. ભાજપની વિકાસની રાજનીતિથી તમામ વર્ગના લોકો ખુશ છે. વિરોધ કરવાનો પણ લોકશાહીમાં હક છે.
આ પણ વાંચો: રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ બાપુની ભરૂચમાં બેઠક

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના આગેવાન રાકેશ ટિકૈત આવનારી 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ખેડૂત આંદોલનને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સમર્થન આપી રહ્યા છે. ત્યારે રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા માટે શંકરસિંહ બાપુ દ્વારા બેઠકો યોજવાની શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમણે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: 5 એપ્રિલે બારડોલીમાં રાકેશ ટીકેત ખેડૂતોને સંબોધશે

રાકેશ ટિકૈત અંબાજી મંદિર અને ગાંધી આશ્રમની લેશે મુલાકાત

ગુજરાતની મુલાકાતે આવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4 એપ્રિલે સવારે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યારબાદ પાલનપુર અને બારડોલીમાં ખેડૂત સંવાદને સંબોધન કરશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે સવારે 8 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જ્યારબાદ, તેઓ કરમસદ થશે. આ ઉપરાંત તેઓ ઉંઝા સ્થિત માં ઉમિયાનાં મંદિરે પણ દર્શન કરવા માટે જશે.

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઈને ભાજપની પ્રતિક્રિયા

બાપુએ અમદાવાદમાં ખેડૂત નેતાની અટકાયતનો કર્યો વિરોધ

ભારતીય કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી અને ખેડૂત નેતા યુદ્ધવીર સિંહ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના આમંત્રણથી અમદાવાદ આવ્યા હતાં. જ્યાં પોલીસે તેમની પત્રકાર પરિષદ રોકીને તેમની અટકાયત કરી હતી. શંકરસિંહ બાપુએ પોલીસની આ દમનગીરીનો વિરોધ કરતા કહ્યું હતું કે, પોલીસ ભાજપનાં કાર્યકર્તાની જેમ વર્તી રહી છે. ગુજરાતમાં ખેડૂત આંદોલનનાં ભણકારાને લઈને ભાજપ ચિંતિત બની ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા

લોકશાહીના ઢબે લોકોનેે વિરોધ કરવા દેવામાં આવે

શંકરસિંહ વાઘેલાએ આ અંગે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ગુજરાતમાં પણ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર લોકશાહીના ઢબે તેઓને વિરોધ કરવા દેવામાં આવે. ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો એ સાંખી નહિ લેવાય.

04 અને 05 એપ્રિલે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે

સરકાર કોરોનામાં મેચને પરવાનગી આપે ખેડૂતોને એક પ્રેસ કોન્ફરન્સ માટે નહીં ?

શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજીને સરકારે કોરોનાને આમંત્રણ આપ્યું. મેચ જોવા ગયેલા IIMના 05 વિધાર્થીઓએ અન્ય 25ને કોરોના સંક્રમિત કર્યા હતા. ખેડૂતો આતંકવાદી નથી. કયા રેકોર્ડ પર સંયુક્ત કિસાન મોરચાનાં નેતાઓને રોકવામાં આવ્યાં ? મેચ માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા સરકારે પરમિશન લીધી હતી ?

આ પણ વાંચો : ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટિકૈત

ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં

શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસાના ખેડૂતોને બટાકાનો આજે યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેઓ બટાકા રોડ પર ફેંકી રહ્યાં છે. MSPએ કોઈ મજાક નથી. અમે ખેડૂતોની વાત સાંભળવા માગીએ છીએ. બનાસકાંઠાના ખેડૂતોની વેદના સાંભળવામાં શું ગુનો છે ?

શંકરસિંહની સરકારને ચેલેન્જ

રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કટાક્ષ કરતા વ્યંગમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમનું નામ બદલી 'મોહન મધુકર ભાગવત' આશ્રમ કરી દો. અંબાજી, ઊંઝા સહિત ગુજરાતના અનેક સ્થળો પર ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત જશે જ. સરકારથી થાય તે કરી લે. શું અંબાજીના દર્શન કરવા જતાં પણ સરકાર રોકશે ?

આ પણ વાંચો : ગુજરાત મુક્ત કરો : રાકેશ ટિકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી

ભાજપના માણસો જ ખેડૂત આંદોલનને બદનામ કરી રહ્યાં છે

ભાજપના માણસોએ જ ખેડૂત આંદોલનને બદનામ કરવા 26 જાન્યુઆરીએ દિલ્હીમાં તોફાન કર્યું હતું. શંકરસિંહે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પોલીસ પગાર પ્રજાના પૈસાથી લે છે. જ્યારે કામ ભાજપનું કરે છે. તો પછી પોલીસ ભાજપનો ખેસ પહેરી લે. પોલીસ યાદ રાખે કે, સરકાર હંમેશા એક જ નથી રહેતી. જો સરકાર અમારા હક્કોનું દમન કરશે તો આ મુદ્દે અમે હાઈકોર્ટમાં જઈશું.

આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેતીએ રાજ્યનો વિષય છે. કેન્દ્ર તેની પર કાયદો બનાવી શકે નહીં. ભારતભરના ખેડુતો આ કૃષિ કાયદાઓથી દુઃખી છે, ત્યારે ગુજરાતના ખેડૂતની વાત સાંભળવા રાકેશ ટિકૈત આવી રહ્યાં છે. આ કોઈ વોટ માટેનો કાર્યક્રમ નથી.

આ ખેડૂતો સાથે જવાનોનું પણ આંદોલન : યુદ્ધવીરસિંહ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ભારતના કિસાન છીએ, ખેડૂતોના દીકરા સરહદ પર જવાન છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ છત્તા એક પણ રેલી કે સભામાં વડાપ્રધાને ત્રણ કૃષિ કાયાદના ફાયદા ન ગણાવ્યા. કારણ કે, તેના કોઈ ફાયદા જ નથી. આ ફક્ત ત્રણ બિલની વાત નથી, આગળ પણ આવા બિલ આવશે.

રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈતનો ગુજરાત કાર્યક્રમ

04 એપ્રિલે સવારે 10 કલાકે તેઓ બનસકાંઠાના મોટા અંબાજી આવશે. બપોરે 12:30 કલાકે તેઓ અંબાજીના દર્શન કરશે. બપોરે 02 કલાકે પાલનપુર ખાતે ખેડુતો સાથે વાત કરશે. સાંજે 05 કલાકે ઊંઝા ખાતે ઉમિયા માતાના દર્શન કરશે. 05 એપ્રિલે સવારે 08 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સવારે 10:30 કલાકે કરમસદ ખાતે સરદાર સ્મારકની મુલાકાત કરશે. બપોરે 02:30 કલાકે બારડોલી ખાતે ખેડુતો સાથે વાત કરશે.

  • રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ
  • ત્રણ કૃષિ કાયદાઓને લઈને કરશે ચર્ચા
  • ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં નહીં આવે: યમલ વ્યાસ

અમદાવાદ: રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત 04 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગુજરાતના ખેડૂતોને મળશે અને તેમની સાથે ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચર્ચા કરશે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને કોઈ સમસ્યા નથી. અહીં ખેડૂતોને તેમની ઉપજનો પુરતો ભાવ મળી રહે છે. સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણીઓમાં 31માંથી 31 જિલ્લા પંચાયત પર મોટા માર્જિનથી ભાજપનો વિજય થયો છે. તે દર્શાવે છે કે, લોકો ભાજપની સાથે છે. ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં આવશે નહીં. ભાજપની વિકાસની રાજનીતિથી તમામ વર્ગના લોકો ખુશ છે. વિરોધ કરવાનો પણ લોકશાહીમાં હક છે.
આ પણ વાંચો: રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ બાપુની ભરૂચમાં બેઠક

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના આગેવાન રાકેશ ટિકૈત આવનારી 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ખેડૂત આંદોલનને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સમર્થન આપી રહ્યા છે. ત્યારે રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા માટે શંકરસિંહ બાપુ દ્વારા બેઠકો યોજવાની શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમણે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: 5 એપ્રિલે બારડોલીમાં રાકેશ ટીકેત ખેડૂતોને સંબોધશે

રાકેશ ટિકૈત અંબાજી મંદિર અને ગાંધી આશ્રમની લેશે મુલાકાત

ગુજરાતની મુલાકાતે આવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4 એપ્રિલે સવારે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યારબાદ પાલનપુર અને બારડોલીમાં ખેડૂત સંવાદને સંબોધન કરશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે સવારે 8 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જ્યારબાદ, તેઓ કરમસદ થશે. આ ઉપરાંત તેઓ ઉંઝા સ્થિત માં ઉમિયાનાં મંદિરે પણ દર્શન કરવા માટે જશે.

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઈને ભાજપની પ્રતિક્રિયા

બાપુએ અમદાવાદમાં ખેડૂત નેતાની અટકાયતનો કર્યો વિરોધ

ભારતીય કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી અને ખેડૂત નેતા યુદ્ધવીર સિંહ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના આમંત્રણથી અમદાવાદ આવ્યા હતાં. જ્યાં પોલીસે તેમની પત્રકાર પરિષદ રોકીને તેમની અટકાયત કરી હતી. શંકરસિંહ બાપુએ પોલીસની આ દમનગીરીનો વિરોધ કરતા કહ્યું હતું કે, પોલીસ ભાજપનાં કાર્યકર્તાની જેમ વર્તી રહી છે. ગુજરાતમાં ખેડૂત આંદોલનનાં ભણકારાને લઈને ભાજપ ચિંતિત બની ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા

લોકશાહીના ઢબે લોકોનેે વિરોધ કરવા દેવામાં આવે

શંકરસિંહ વાઘેલાએ આ અંગે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ગુજરાતમાં પણ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર લોકશાહીના ઢબે તેઓને વિરોધ કરવા દેવામાં આવે. ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો એ સાંખી નહિ લેવાય.

04 અને 05 એપ્રિલે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે

સરકાર કોરોનામાં મેચને પરવાનગી આપે ખેડૂતોને એક પ્રેસ કોન્ફરન્સ માટે નહીં ?

શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજીને સરકારે કોરોનાને આમંત્રણ આપ્યું. મેચ જોવા ગયેલા IIMના 05 વિધાર્થીઓએ અન્ય 25ને કોરોના સંક્રમિત કર્યા હતા. ખેડૂતો આતંકવાદી નથી. કયા રેકોર્ડ પર સંયુક્ત કિસાન મોરચાનાં નેતાઓને રોકવામાં આવ્યાં ? મેચ માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા સરકારે પરમિશન લીધી હતી ?

આ પણ વાંચો : ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટિકૈત

ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં

શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસાના ખેડૂતોને બટાકાનો આજે યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેઓ બટાકા રોડ પર ફેંકી રહ્યાં છે. MSPએ કોઈ મજાક નથી. અમે ખેડૂતોની વાત સાંભળવા માગીએ છીએ. બનાસકાંઠાના ખેડૂતોની વેદના સાંભળવામાં શું ગુનો છે ?

શંકરસિંહની સરકારને ચેલેન્જ

રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કટાક્ષ કરતા વ્યંગમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમનું નામ બદલી 'મોહન મધુકર ભાગવત' આશ્રમ કરી દો. અંબાજી, ઊંઝા સહિત ગુજરાતના અનેક સ્થળો પર ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત જશે જ. સરકારથી થાય તે કરી લે. શું અંબાજીના દર્શન કરવા જતાં પણ સરકાર રોકશે ?

આ પણ વાંચો : ગુજરાત મુક્ત કરો : રાકેશ ટિકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી

ભાજપના માણસો જ ખેડૂત આંદોલનને બદનામ કરી રહ્યાં છે

ભાજપના માણસોએ જ ખેડૂત આંદોલનને બદનામ કરવા 26 જાન્યુઆરીએ દિલ્હીમાં તોફાન કર્યું હતું. શંકરસિંહે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પોલીસ પગાર પ્રજાના પૈસાથી લે છે. જ્યારે કામ ભાજપનું કરે છે. તો પછી પોલીસ ભાજપનો ખેસ પહેરી લે. પોલીસ યાદ રાખે કે, સરકાર હંમેશા એક જ નથી રહેતી. જો સરકાર અમારા હક્કોનું દમન કરશે તો આ મુદ્દે અમે હાઈકોર્ટમાં જઈશું.

આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેતીએ રાજ્યનો વિષય છે. કેન્દ્ર તેની પર કાયદો બનાવી શકે નહીં. ભારતભરના ખેડુતો આ કૃષિ કાયદાઓથી દુઃખી છે, ત્યારે ગુજરાતના ખેડૂતની વાત સાંભળવા રાકેશ ટિકૈત આવી રહ્યાં છે. આ કોઈ વોટ માટેનો કાર્યક્રમ નથી.

આ ખેડૂતો સાથે જવાનોનું પણ આંદોલન : યુદ્ધવીરસિંહ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ભારતના કિસાન છીએ, ખેડૂતોના દીકરા સરહદ પર જવાન છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ છત્તા એક પણ રેલી કે સભામાં વડાપ્રધાને ત્રણ કૃષિ કાયાદના ફાયદા ન ગણાવ્યા. કારણ કે, તેના કોઈ ફાયદા જ નથી. આ ફક્ત ત્રણ બિલની વાત નથી, આગળ પણ આવા બિલ આવશે.

રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈતનો ગુજરાત કાર્યક્રમ

04 એપ્રિલે સવારે 10 કલાકે તેઓ બનસકાંઠાના મોટા અંબાજી આવશે. બપોરે 12:30 કલાકે તેઓ અંબાજીના દર્શન કરશે. બપોરે 02 કલાકે પાલનપુર ખાતે ખેડુતો સાથે વાત કરશે. સાંજે 05 કલાકે ઊંઝા ખાતે ઉમિયા માતાના દર્શન કરશે. 05 એપ્રિલે સવારે 08 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સવારે 10:30 કલાકે કરમસદ ખાતે સરદાર સ્મારકની મુલાકાત કરશે. બપોરે 02:30 કલાકે બારડોલી ખાતે ખેડુતો સાથે વાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.